અજમો (શાસ્ત્રીય નામ: ટ્રેચીસ્પરમમ એમ્મી – Trachyspermum ammi),
આ ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે.
તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે.
અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ (bishop’s weed) તરીકે ઓળખાય છે.
અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે.
તે સિવાય તેને કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે.
આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે.
આપણા રસોડામાં અનેક ઔષધીઓ વપરાતી હોય છે. આપણે તેના પૂરતા ગુણ અને ઉપયોગો વિષે ઘણીવાર પૂરતી જાણકારી ધરાવતા હોતા નથી તેથી તેના ગુણોનો લાભ ઉઠાવી શકતા નથી. આવા મસાલાઓ પૈકી અજમો એક મહત્વની મસાલા વનસ્પતિ છે. અહી તેના કેટલાક ગુણો જોઈએ.
અજમામાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર હોય છે. તેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ, રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્વ મળી આવે છે.
(૧) શીળસમાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.
(૨) અજમાનું પા(૧/૪)થી અડધી ચમચી ચૂર્ણ અને તેનાથી અડધો સંચળ કે સિંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફ મટે છે.
(૩) શરીરમાં કોઈ પણ જાતની દુર્ગંધ સડાથી ઉત્પન્ન થાય છે. દાંતના સડાને લીધે માંમાંથી, નાકમાંથી, વળી ફેફસામાં સડેલા કફને કારણે શ્વાસમાંથી, યોનીના સ્રાવમાંથી, અપાનવાયુની વાછુટથી કે કાનમાં સડો થવાથી આવતી કોઈ પણ દુર્ગંધ દુર કરવા અજમાનો ઉપયોગ કરી શકાય. સોપારી જેટલો ગોળ અડધી ચમચી અજમા સાથે જમ્યા પછી ખુબ ચાવીને ખાવાથી મોટા ભાગની દુર્ગંધ દુર થાય છે.
(૪) ઉકળતા પાણીમાં અજમો નાખી, ઠંડુ પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુર્ગંધ દુર થાય છે.
(૫) જુની કબજીયાતને લીધે મળ સડવાથી દુર્ગંધ હોય, જેથી વાછુટ પણ દુર્ગંધ મારતી હોય છે. આમ મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાંતની દુર્ગંધને દુર કરવા અડધી ચમચી અજમો રોજ રાત્રે મુખવાસની જેમ ખુબ ચાવીને ખાવો. પીત્તવાળાએ સાકર મેળવીને ખાવો. અજમા સાથે થોડો સંચળ લેવાથી ઉત્તમ પરીણામ મળે છે.
(૬) અડધી ચમચી અજમાનું ચૂર્ણ ફાકી ઉપર અડધો કપ નવશેકું પાણી ધીમે ધીમે પીવાથી શરદી-સળેખમ, કફના રોગો, મંદાગ્નિ, અરુચી, અપચો, ગેસ, ઉદરશુળ વગેરે મટે છે.
(૭) અજમાનું ચૂર્ણ કપડામાં બાંધી સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે, સુગંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાં ફાયદો થાય છે.
(૮) બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.
(૯) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આાંતરીક ગરમી મટે છે.
(૧૦) પ્રસુતી પછીના જ્વરમાં અજમાનો ઉપયોગ અત્યંત હીતકારક છે.
(૧૧) શ્વાસરોગમાં અને કફની દુર્ગંધ તથા કફના જુના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.
તમે માહિતીપ્રદ પોસ્ટ શોધતા હોવ તો ‘અખરોટ – ઉત્તમ આહાર અને રોગોમાં ઉપયોગી ઔષધ‘ તમને ગમશે.
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…