આપણો ભારત દેશ એક લાંબી ગુલામીમાંથી આઝાદ થયો છે. ઘણાબધા દેશોના અને જુદી-જુદી કોમના લોકોએ આપણા દેશ પર રાજ કર્યું છે. છેલ્લી અંગ્રેજ શાસનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે ભારતે લોકશાહી અપનાવી અને દેશમાં લોકશાસન પ્રસ્થાપિત થયું. લોકોને વિવિધ પ્રકારના હક આપવામાં આવ્યાં અને અત્યાર સુધી થયેલા શોષણને ડામવાના પ્રયત્નો શરૂ થયાં. લોકો હવે આઝાદીથી પોતાનું જીવન જીવી શકતા હતા અને અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવી શકતા હતાં. સમય જતાં હકોની સાથે સાથે દેશ પ્રત્યે લોકોની ફરજો અને કર્તવ્યો વિશે ચર્ચાએ જોર પકડ્યું. દેશના નાગરિકોને હકો તો આપવામાં આવ્યા પરંતુ દેશ પ્રત્યેની એમની ફરજો નક્કી ન થઈ શકી. દેશની સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રિમ કોર્ટે સૌપ્રથમ વખત નાગરિકોની ફરજોની જરૂરિયાત દર્શાવી અને ત્યારબાદ 1976માં ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણીય સુધારા દ્વારા આપણા દેશના સંવિધાનમાં મૂળભૂત ફરજોને સામેલ કરી. છેલ્લે 2002માં આ ફરજોમાં નવી ફરજ તરીકે બાળકના માતા-પિતા અથવા વાલીને 6 થી 14 વર્ષની વયના બાળકને ભણાવવા માટે કર્તવ્યબદ્ધ કરાયા. ભારતના એક જાગૃત નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે સૌ આપણી આ ફરજોને સન્માન આપીએ અને તે પ્રમાણે દેશ પ્રત્યેનું આપણું કર્તવ્ય અને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવીએ.
ભારત દેશના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ છે :
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…