તાલુકા પંચાયત એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની પંચાયતિરાજની ખૂબ અગત્યની સંસ્થા છે.
અહી તાલુકા પંચાયતની રચના, કાર્યો અને તેને લગતી માહિતીનો આ લેખમાં સમાવેશ કરવા પ્રયત્ન કરેલ છે.
તાલુકા પંચાયતમાં એક લાખની વસતી સુધી 15 બેઠકો રહેશે અને વધારાની દર 25000 વસતિએ બે બેઠકો વધારાની રહેશે.
દરેક તાલુકા પંચાયતના સદસ્યોની ચૂંટણી તાલુકાના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી કરવામાં આવે છે.
તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રખાય છે,
બક્ષીપંચ માટે 10 ટકા અને એસ.સી./ એસ.ટી. માટે વસતિના ધોરણે અનામત બેઠકો રખાય છે.
તાલુકા કે તેના ભાગમાંના કોઈપણ મતદાર મંડળમાંથી ચૂંટાયેલા ગુજરાત વિધાનસભા સભ્યો આવી તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રીત ગણાશે, પરંતુ તેમને મતાધિકાર નહીં હોય.
20 લાખથી ઓછી વસતિ ધરાવતાં રાજ્યોમાં તાલુકા પંચાયતની જોગવાઈ નથી.
જુદા જુદા રાજ્યોમાં તાલુકા પંચાયત અલગ અલગ નામે ઓળખાય છે.
તાલુકા પંચાયતની ચુંટણી પક્ષીય એટલે કે રાજકીય ધોરણે લડાય છે.
સામાન્ય રીતે તાલુકા પંચાયતની ચૂંટણીની અન્ય જોગવાઈઓ ગ્રામ પંચાયતની ચૂંટણીની જેવી જ છે.
તાલુકા પંચાયત/ જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી હોવાથી તા. 19-1-1979 થી તાલુકા/જિલ્લા પંચાયતોને પણ પક્ષાંતર ધારો લાગુ પાડવામાં અવ્યો છે.
સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિદ્ધ કરવામાં આવે તે તારીખથી ચાર અઠકાડિયાની અંદર, જિલ્લા વિકાસ અધિકારી જે તારીખે નક્કી કરે તે દિવસે તાલુકા પંચાયતની પ્રથમ બેઠક મળે છે.
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકના પ્રમુખની નિમણૂકનો અધિકાર જિલ્લા વિકાસ અધિકારિને છે, જિલ્લા વિકાસ અધિકારી જે અધિકારીને બેઠકના પ્રમુખ નિયુક્ત કરે તે બેઠક અધ્યક્ષ ગણાય છે,
જો કે તેમને મતાધિકાર રહેશે નહિ. પ્રથમ બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય કોઈ કાર્યવાહી હાથ ધરી શકશે નહીં.
આ કલમ હેઠળની ચૂંટણીમાં જો બે ઉમેદવારોને સરખા મતો પડે તો, અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીની હાજરીમાં ચિઠ્ઠી નાંખીને નક્કી કરવામાં આવે છે.
તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દાની મુદત પંચાયતના જેટલી જ એટલે કે પાંચ વર્ષની રહેશે.
તાલુકા પંચાયતના કાર્યો:
સામાન્ય રીતે તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ માસે ભરવી જોઈશે. પરંતુ તાલુકા પંચાયતના ઓછામાં ઓછા 1/3 સભ્યો પ્રમુખને લેખિત વિનંતિ કરે તો બેઠક કોઈ પણ સમયે બોલાવવી જોઈશે.
આનો સવિસ્તાર ઉલ્લેખ ‘પંચાયતી સમિતિઓ’ લેખમાં કરેલ છે.
પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુદ્ધ તાલુકા પંચાયતનો કોઈ સભ્ય નિયત ફોર્મમાં કુલ સભ્યોના 50 % સભ્યોની સહીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકશે.
જો પ્રસ્તાવને પંચાયતના કુલ સભ્યોના 2/3 સબ્યોની બહુમતિથી પસાર કરવામાં આવે તો જે તારીખે પ્રસ્તાવ પસાર કર્યા હશે તે તારીખથી ત્રણ દિવસ પછી પ્રમુખ કે ઉપપ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હોય તે બેઠકમાં પ્રમુખ કે ઉપપ્રમુખ અધ્યક્ષસ્થાને રહી શકશે નહીં,
જો કે આવી બેઠકમાં બોલવાનો કે મત આપવાનો અધિકાર રહેશે.
કોઈ સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખ પોતાની ફરજ બજાવવામાં કસૂર કરે, સત્તાનો દુરુપયોગ કરે અથવા ફરજ બજાવવા અસમર્થ થયો હોય તો, યોગ્ય કાર્યવાહી કરીને જિલ્લા વિકાસ અધિકારી સંબંધિત સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
આવા હુકમની સામે વિકાસ કમિશ્નરને અપીલ કરી શકાય છે,
વિકાસ કમિશ્નરે આપેલ હુકમ સામે રિવિઢન અરજી થઈ શકતી નથી. હાઈકોર્ટમાં અપીલ કરવી પડે.
જો પ્રમુખ કે ઉપપ્રમુખ સામે નૈતિક અધઃપતનવાળા કોઈપણ ગુનામાં કોઈ ફોજદારી કાર્યવાહી સામે થઈ હોય અથવા કાર્યવાહી દરમિયાન જેલમાં અટકમાં રાખવામાં આવ્યા હોય તો જિલ્લા વિકાસ અધિકારી જે તે પ્રમુખ કે ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
આવા હુકમની વિરુદ્ધમાં હુકમની તારીખથી 30 દિવસની મુદતની અંદર રાજ્ય સરકારને અપીલ થઈ શકશે.
તાલુકા પંચાયત અથવા તેની સમિતિની બેઠકમાં સઘળા નિર્ણયો લેવાના રહેશે.
આ નિયમમાં અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય બેઠક અધ્યક્ષસ્થાન લેનાર અધિકરીને સરખા મતો પડે તેવા દરેક પ્રસંગે બીજો અથવા નિર્ણાયક મત આપવાનો અધિકાર છે.
દરેક તાલુકામાં એક ફંડ રહેશે જે તાલુકા ફંડ તરીકે ઓળખાશે.
તાલુકા ફંડમાં નીચેની રકમો જમા કરવામાં આવે છે.
તમામ રકમનો ઉપયોગ પંચાયત અધિનિયમ હેઠળના નિર્ધારિત કાર્યો માટે વપરાશે.
બાકી રહેલાં નાણાં ચાલું ખર્ચ માટે જોઈતાં ન હોય તો ઠરાવ કરીને યોગ્ય રીતે રોકાણ કરી શકશે.
પંચાયતે લીધેલ કોઈપણ લોનનાં દાખલામાં મુદ્દલ રકમ અથવા તેના હપ્તાની ચુકવણી અને તે અંગેની વ્યાજની ચૂકવણી તેના ફંડ પર પ્રથમ બોજો ગણાશે.
દરેક તાલુકા પંચાયત માટે એક સેક્રેટરી રહેશે.
દરેક તાલુકા પંચાયતમાં રાજ્ય સરકાર દ્બારા નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી રહેશે અને તે હોદ્દાની રૂએ તાલુકા પંચાયતનો સેક્રેટરી ગણાશે.
આ ઉપરાંત અધિનિયમમાં ઠરાવ્યા મુજબના અધિકારીઓ અને નોકરો રહેશે.
તાલુકા વિકાસ અધિકારીને જુદા જુદા રાજ્યોમાં – તાલુકા વિકાસ અધિકારી, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અથવા મુખ્ય વહીવટી અધિકારી તરીકે ઓળખવામાં આવે છે.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘ પંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો‘ પણ જુઓ.
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…