પંચાયતીરાજની યોજનાઓ -1 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે.
આ યોજનાઓ જુદી જુદી સરકારો એ જુદા જુદા સમયે અમલમાં મુકેલ છે.
કેટલીક યોજનાઓ બદલાઈને નવી યોજનાઓ પણ શરૂ થયેલ છે, પણ મૂળ યોજનાથી કેટલાક પ્રભાવક પરિણામો મળેલ હોઈ તેને પણ સમાવી લીધી છે.
આ યોજનાઓનો સમાવેશ કુલ બે ભાગમાં કરેલ હોવાથી 1 અને 2 એવા વિભાગ પાડ્યા છે.
કલ્યાણકારી યોજનાઓ ગ્રામ પંચાયતોને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવતી સામાજિક વિકાસની વિભિન્ન યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આવી યોજનાઓ નીચે મુજબ ગણાવી શકાય.
ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમિહીન ખેતમજૂરોને મફત પ્લોટ આપવાની યોજના ઈ.સ. 1972માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે આ યોજનાનો પ્રારંભ તા.31-5-1972 થી શરૂ કર્યો હતો.
કેન્દ્ર સરકારની મફત પ્લોટની ઈન્દિરા આવાસ યોજના જેવી ગુજરાત સરકારે તા. 10-4-1997 થી સરદાર આવાસ યોજના અમલમાં મૂકી છે.
આ યોજના હેઠળ રૂ. 36,000 સરકારી સહાય અને રૂ 7000 નો લોકફાળો નક્કી કરવામાં આવેલ હતો.
આ યોજના માટે અગાઉ રૂ 11,000 ની વર્ષિક આવક મર્યાદા હતી, તેના બદલે તા.1-5-2001 થી ગરીબી રેખા નીચે જીવતાં તમામ કુટુંબોને આમાં આવરી લેવમાં આવેલ છે.
પોતાના માલિકીના પ્લોટમાં પણ મકાન બાંધવા આ યોજનાનો લાભ આપવાનું ઠરાવ્યું છે.
(તમામ મકાન સહાય યોજનાઓમાં વર્તમાનમાં સહાયની રકમમાં મોટો વધારો કરવામાં આવેલ છે.)
ઈ.સ. 1997-98માં તત્કાલીન રાજ્ય સરકારે ગામડામાં શહેરો જેવી સુવિધા મળી રહે અને લોકોનું શહેરો તરફનું સ્થળાંતર અટકે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત દરેક તાલુકામાંથી એક ગામ પસંદ કરીને પંચાયત ઘર, શાળાનો ઓરડો, કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ પૂરી પાડવા રૂપિયા પચાસ હજાર સુધીની ગ્રાન્ટ આપવામાં આવતી હતી.
જો કે યોજનાનો હેતુ સફળ ન થવાને લીધે અને જનતા સરકાર બદલવાથી યોજના બંધ થઈ ગઈ.
ગુજરાત સરકારે તા-29-7-2006 થી સારી કામગીરી કરનાર પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક ગ્રામ વિકાસ એજન્સીને આપવાનું ઠરવ્યું હતું.
નિર્મળ ગુજરાત વર્ષ 2007 ના અંતર્ગત આ યોજના માટે ઈ.સ. 2008-09 વર્ષમાં રૂપિયા એક લાખથી જોગવાઈ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે તા.21-7-2004 થી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
વિકાસમાં અવરોધરૂપ બનતાં જ્ઞાતિવાદ, કોમવાદને અટકાવવા ગામમાં સદ્દભાવ, ભાઈચારો અને સામૂહિક એખલાસ જળવાઈ રહે તેમજ ઝઘડાનો નિકાલ ગ્રામ્યકક્ષાએ આવે તે હેતુથી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
યોજનામાં ભાગ લેવા માટેના ઘોરણો :
તીર્થગ્રામ તરીકે પસંદ થયેલ ગામને રૂપિયા એક લાખ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
પંચાયતીરાજની યોજનાઓ -1 ઉપરાંત અન્ય યોજનાઓનો અભ્યાસ આ પછીના લેખમાં કરીશું.
અહી સમાવેલ પંચાયતીરાજની યોજનાઓ -1 એ પરિક્ષાલક્ષી તૈયારી ઉપરાંત સામાન્ય જાણકારીના ઉદ્દેશથી પણ મહત્વની છે.
સહુ લાભાર્થીઓ યોજનાઓનો મહત્તમ લાભ લે તેવા પ્રયત્નો આપણે જાગૃત નાગરિક તરીકે કરવા જોઈએ.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘ જિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ‘ પણ જુઓ.
આ વિષયમાં આ પછીનો લેખ ‘ પંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો’ છે.
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…