તાજેતરમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઉથલપાથલનો સમય હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેથી અચાનક રાજીનામું આપતા નવા મુખ્યમંત્રીની પસંદગી માટે બેઠકોનો દોર ચાલું થયો. ઘણીબધી અટકળો અને અસંમજતા બાદ શ્રી વિજય રૂપાણી ને ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં. અહીં શ્રી વિજય રૂપાણી અને ગુજરાતના નવા મંત્રીમંડળ વિશે ટુંકમાં પરિચય મેળવીએ.
શ્રી વિજય રૂપાણી નો જન્મ 2 ઑગષ્ટ, 1956ના રોજ બર્મા દેશના રંગૂન શહેરમાં થયો હતો. તે એક જૈન પરિવારમાંથી આવે છે. કામકાજ અને વ્યવસાયિક કારણોને કારણે તેમનો પરિવાર બર્મામાં જ સ્થાયી થયા હતો. 1960માં તેમનો પરિવાર બર્મા છોડી કાયમ માટે રાજકોટ સ્થાયી થયો. રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાંથી BA અને LLB નો અભ્યાસ કર્યો છે. કૉલેજકાળથી જ રૂપાણીએ ABVPમાં જોડાઈ પોતાની રાજકીય કારકિર્દીનો આરભ કરેલો. કૉલેજ વખતે તેઓ GS તરીકે પણ રહ્યા છે. ત્યારબાદ તેઓ RSS સાથે પણ જોડાયા. જ્યારે દેશમાં કટોકટીનો સમય હતો ત્યારે તેઓ જેલમાં પણ ગયા હતાં. ઈ.સ.1996-97માં તેઓ રાજકોટના મેયર તરીકે રહ્યા. 2006માં તેઓ ગુજરાત ટૂરિઝમના ચેરમેન અને 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સદસ્ય તરીકે સેવા આપી. 2013માં ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તેમજ પેટા ચૂંટણી લડી 2015માં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય બની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા પણ આપી છે. 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં મોટેભાગે તેઓ સંગઠનો અને મહાનગરપાલિકાનો અનુભવ ધરાવે છે.
ગુજરાતના નવા મંત્રીઓ અને તેમને ફાળવાયેલા ખાતા
1. શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી
કેબિનેટ મંત્રીશ્રીઓ
2. શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ
3. શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા
4. શ્રી ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા
5. શ્રી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા
6. શ્રી બાબુભાઈ ભીમાભાઈ બોખીરિયા
7. શ્રી આત્મારામ મકનભાઈ પરમાર
8. શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર
9. શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડિયા
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
10. શ્રી શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી
11. શ્રી પ્રદીપસિંહજી ભગવતસિંહજી જાડેજા
12. શ્રી જયંતીભાઇ રામજીભાઇ કવાડીયા
13. શ્રી નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી
14. શ્રી પરસોત્તમભાઇ ઓધવજી સોલંકી
15. શ્રી જશાભાઇ ભાણાભાઇ બારડ
16. શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
17. શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર
18. શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ
19. શ્રી વલ્લભભાઇ ગોબરભાઇ કાકડીયા
20. શ્રી રાજેન્દ્ર સુર્યપ્રસાદ ત્રિવેદી
21. શ્રી કેશાજી શીવાજી ચૌહાણ
22. શ્રી રોહિતભાઇ પટેલ
23. શ્રી વલ્લભભાઇ વશરામભાઇ વઘાસીયા
24. શ્રી ડો.નિર્મલાબેન સુનિલભાઇ વાધવાણી
25. શ્રી શબ્દશરણ ભાઇલાલભાઇ તડવી
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
View Comments
phota sathe mantri madal nu name and khata round ma banavo