શ્યામજી કૃષ્ણવર્મા કચ્છના માંડવીમાં જન્મેલા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની, વકીલ, વિચારક અને ઉપરાંત ધણુ બધુ હતા.
લંડનમાં ઇંડિયન હોમરૂલ સોસાયટી, ‘ઈન્ડિયા હાઉસ’ અને ‘ઇંડિયન સોસિયોલોજીસ્ટ’ ના તેઓ સ્થાપક હતા.
1857 ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના વર્ષમાં જન્મેલા શ્યામજી કૃષ્ણવર્મા મહાન ક્રાંતિકારી, વિદેશમાં રહી દેશસેવામાં જીવન ખપાવનાર અને વિદેશમાં સ્વાધીનતા માટે લડતા દરેક માટે બનતું બધુ કરી છૂટનાર ક્રાંતિવિર હતા.
એ સમયે પણ તેમની ગણના ‘લખપતિ’ માં થતી. છતાં, પોતાનું સર્વસ્વ દેશની સ્વતંત્રતા માટે લડતા વીરો પાછળ વાપરી, ની:સંતાન મૃત્યુ પામ્યા પણ પોતાની વારસો અમર કરતા ગયા.
લંડનમાં તેમનું ‘ઈન્ડિયા હાઉસ’ ભારતીય ક્રાંતિકારીઓ માટે આશ્રયસ્થાન હતું. ઘણી પ્રવૃત્તિઓ ત્યાથી સંચાલિત થતી. વીર સાવરકરે પણ પોતાની પ્રવૃત્તિઓ અહી રહીને જ સંચાલિત કરેલી.
યુરોપમાં રહી અનેક દેશોના ક્રાંતિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા અને ભારતની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહાનુભૂતિ ઉભી કરવામાં અગત્યની ભૂમિકા ભજવી.
મૃત્યુ અગાઉ અંતિમ સમયે તેમણે પોતાના અસ્થિઓ જીનીવાની એક સંસ્થા પાસે અગાઉથી નાણાં ચૂકવી 100 વર્ષ સુધી સાચવી રાખવાની અને જ્યારે દેશ આઝાદ થાય ત્યારે જ ભારતમાં મોકલવાની વ્યવસ્થા કરેલી.
આઝાદી બાદ પેરિસના ડો. પૃથ્વીન્દ્ર મુખરજીની વિનંતીને માન આપી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અસ્થિઓ ભારત લાવવા સંમતિ આપેલી. જેના વર્ષો બાદ તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદી 22 ઓગસ્ટ 2003ના રોજ અસ્થિ ભારત લાવ્યા.
સમગ્ર ગુજરાતમાં શ્યામજી કૃષ્ણવર્મા ના અસ્થિઓની ‘વિરાંજલી યાત્રા’ કાઢી વતન માંડવીમાં લાવવામાં આવેલા.
કચ્છના માંડવી ખાતે કીર્તિતીર્થ નામનું શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે.
અહી, લંડનના ‘India House’ ની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વિશાળ જગ્યામાં આવેલા સ્મારકમાં શ્યામજીના જીવનને લગતી પ્રાપ્ય વસ્તુઓ અને ઘટનાઓનું પ્રદર્શન કરેલું છે.
અન્ય ક્રાંતિકારીઓના ચિત્રો પણ પ્રદર્શિત કરાયા છે. યુવાનો શ્યામજીના જીવનમાથી પ્રેરણા મેળવે એવું સ્મારક બનાવ્યું છે.
આ ઉપરાંત, પેરિસમાં એમના નામે સ્કોલરશીપ ચાલે છે. વળી, મૂંબઈમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કોલરશીપ મળે છે. ઇંદુલાલ યાજ્ઞિકે તેમનું એક પુસ્તક પણ લખેલું. અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભુજ અને માંડવીમાં તેમના પૂતળા મૂકવામાં આવેલ છે અને રસ્તાઓનું નામકરણ પણ થયેલું છે. ક્રાંતિવિરને વંદન સહ અસ્તુ.
Controlling immunological responses requires the cytokine interleukin-2 (IL-2), commonly referred to as IL-2 Human. It…
What is Mortgage Insurance? Mortgage insurance is a type of insurance policy designed to protect…
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…