Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિની સમજૂતી આપો. 

ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. 

Advertisement
જનીનતત્વો અને વર્તનની સમજૂતી આપો. 

દરેક માનવીમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. અનુવંશ અને વાતાવરણ વ્યક્તિગત તફાવત સર્જે છે. ‘અનુવંશ’ એટલે વ્યક્તિને મળેલો જૈવિય વારસો. જૈવિય વારસો જનીનતત્વોનો બનેલો હોય છે અને તે વ્યક્તિને માતા-પિતા પાસેથી મળે છે.

મહિલાના સ્ત્રીબીજ સાથે પુરુષના શુક્રાણુનું મિલન થાય ત્યારે ગર્ભધાનની ક્રિયા થાય છે. પુરુષોના પ્રત્યેક શુક્રાણુમાં 23 રંગસુત્રો અને પ્રત્યેક મહિલાઅંડબીજમાં 23 રંગસુત્રો હોય છે. પુરુષ અને મહિલાનાં રંગસુત્રોની 23 જોડીઓ બને છે. કુલ 46 રંગસુત્રો ફલિત અંડમાં હોય છે. રંસુત્રોની જોડીઓનું માળખું બદલાઈ જાય તો વારસો પણ બદલાઈ જાય છે.

આથી એક જ માતા-પિતાનાં સંતાનોમાં વારસો સમાન હોતો નથી. દરેક રંગસુત્રમાં હજારોની સંખ્યામાં જનીનતત્વો હોય છે. આ જનીનતત્વો બાળકોનાં શારીરિક અને માનસિક લક્ષણોના વારસાનાં વાહકો છે, એટલે કે વારસો નક્કિ કરે છે.

જનીનતત્વો આંતરિક વાતાવરણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિની વૃદ્ધિ અને માનસિક વિકાસનાં બીજ જનીનતત્વોમાં રહેલાં છે. આ બીજ સુવિકસિત હોય, તો પોષણ મળે અને વૃદ્ધિ તથા વિકાસ થઈ શકે. ચયાપચયની ક્રિયા, ઉત્સેચક, રસસ્ત્રાવ તથા પ્રજીવકોની રાસાયણિક પ્રક્રિયાનો આધાર જનીનતત્વો પર છે.

જનીનતત્વો વારસાનાં નિર્ણાયકો છે. શારીરિક લક્ષણો, શરીરનુંં બંધારણ, ગ્રંથિઓનું સામર્થ્ય, માનસિક શક્તિઓ, ચામડીનો રંગ, આંખોનો રંગ વગેરે બાબતો જનીનતત્વો દ્વારા નક્કી થાય છે.

આમ, જનીનતત્વોનાં વિવિધ સંયોજનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના શારીરિક અને માનસિક લક્ષણો વચ્ચે તફાવતો સર્જે છે. વ્યક્તિગત તફાવતોનું તે એક મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે.

જનીનતત્વોમાં મુખ્યત્વે DNAનાં બનેલાં હોય છે. DNAનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે. આ પ્રોટીન શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તેમજ અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે.

જનીનતત્વોની ખામીને કારણે ચયાપચયની ક્રિયા, ઉત્સેચક, રસસ્ત્રાવ તથા પ્રજીવકોની રાસાયણિક પ્રક્રિયાની ઘટનાઓ ખામીયુક્ત બને છે. તેમજ વિકાસ, વુદ્ધિ તથા વર્તનમાં ખામી રહે છે.

કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું વિકૃત વર્તન પણ ખામીયુક્ત જનીનતત્વોના કારણે હોય છે.


Advertisement
કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો. 

Advertisement