CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દરેક માનવીમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. અનુવંશ અને વાતાવરણ વ્યક્તિગત તફાવત સર્જે છે. ‘અનુવંશ’ એટલે વ્યક્તિને મળેલો જૈવિય વારસો. જૈવિય વારસો જનીનતત્વોનો બનેલો હોય છે અને તે વ્યક્તિને માતા-પિતા પાસેથી મળે છે.
મહિલાના સ્ત્રીબીજ સાથે પુરુષના શુક્રાણુનું મિલન થાય ત્યારે ગર્ભધાનની ક્રિયા થાય છે. પુરુષોના પ્રત્યેક શુક્રાણુમાં 23 રંગસુત્રો અને પ્રત્યેક મહિલાઅંડબીજમાં 23 રંગસુત્રો હોય છે. પુરુષ અને મહિલાનાં રંગસુત્રોની 23 જોડીઓ બને છે. કુલ 46 રંગસુત્રો ફલિત અંડમાં હોય છે. રંસુત્રોની જોડીઓનું માળખું બદલાઈ જાય તો વારસો પણ બદલાઈ જાય છે.
આથી એક જ માતા-પિતાનાં સંતાનોમાં વારસો સમાન હોતો નથી. દરેક રંગસુત્રમાં હજારોની સંખ્યામાં જનીનતત્વો હોય છે. આ જનીનતત્વો બાળકોનાં શારીરિક અને માનસિક લક્ષણોના વારસાનાં વાહકો છે, એટલે કે વારસો નક્કિ કરે છે.
જનીનતત્વો આંતરિક વાતાવરણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિની વૃદ્ધિ અને માનસિક વિકાસનાં બીજ જનીનતત્વોમાં રહેલાં છે. આ બીજ સુવિકસિત હોય, તો પોષણ મળે અને વૃદ્ધિ તથા વિકાસ થઈ શકે. ચયાપચયની ક્રિયા, ઉત્સેચક, રસસ્ત્રાવ તથા પ્રજીવકોની રાસાયણિક પ્રક્રિયાનો આધાર જનીનતત્વો પર છે.
જનીનતત્વો વારસાનાં નિર્ણાયકો છે. શારીરિક લક્ષણો, શરીરનુંં બંધારણ, ગ્રંથિઓનું સામર્થ્ય, માનસિક શક્તિઓ, ચામડીનો રંગ, આંખોનો રંગ વગેરે બાબતો જનીનતત્વો દ્વારા નક્કી થાય છે.
આમ, જનીનતત્વોનાં વિવિધ સંયોજનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના શારીરિક અને માનસિક લક્ષણો વચ્ચે તફાવતો સર્જે છે. વ્યક્તિગત તફાવતોનું તે એક મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે.
જનીનતત્વોમાં મુખ્યત્વે DNAનાં બનેલાં હોય છે. DNAનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે. આ પ્રોટીન શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તેમજ અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે.
જનીનતત્વોની ખામીને કારણે ચયાપચયની ક્રિયા, ઉત્સેચક, રસસ્ત્રાવ તથા પ્રજીવકોની રાસાયણિક પ્રક્રિયાની ઘટનાઓ ખામીયુક્ત બને છે. તેમજ વિકાસ, વુદ્ધિ તથા વર્તનમાં ખામી રહે છે.
કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું વિકૃત વર્તન પણ ખામીયુક્ત જનીનતત્વોના કારણે હોય છે.