CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઓઝોન સ્તરનું વિઘટન સમજાવો. અથવા ઓઝોન સ્તરામાં ઘટાડાની સમસ્યા સમજાવો.
નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.
ઓઝોનના નિર્માણની ક્રિયા સમજાવી, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્ત્વ જણાવો.
ઓઝોનના નિર્માણની ક્રિયા : ઑક્સિજનનો અણુ પારજાંબલી ફોટોનનું શોષણ કરી પ્રકાશ વિખંડન કે પ્રકાશ વિભંજન ક્રિયામાંથી પસાર થાય છે. પરિણામે ઑક્સિજનનો એક અણુ બે પરમાણુમાં વિભાજિત થાય છે. આ મુક્ત ઑક્સિજન (O) પરમાણુ ઑક્સિજન (O3) નો અણુ બનાવે છે.
ઓઝોન સ્તરનું સ્થાન : પૃથ્વીનું વાતાવરણ સમકેન્દ્રિત સ્તરીય ગોઠવણી ધરાવે છે. પૃથ્વીની સપાટીનું સૌથી નજીક લગભગ 16 કિમી ઊંચાઈ સુધી ટ્રોપોસ્ફિયર આવેલું છે.
ટ્રોપોસ્ફિયરથી ઉપર લગભગ 50 કિમી ઊંચાઈ સુધી સ્ટ્રેટોસ્ફિયર છે. સ્ટ્રેટોસ્ફિયતર છે. સ્ટ્રેટોસ્ફિયર 16 થી 30 કિમી સુધીના વિસ્તારમાં ઓઝોન સ્તર રહેલું છે.
મહત્ત્વ : ઓઝોન અણુ 310-200 નેનોમીટર (nm) તરંગલંબાઈ ધરાવતાં પારજાંબલી કિરણોને શોષે છે. આથી ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.
કારણ આપો.
ઉપભોક્તા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શક્તિ માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.
કારણ આપો.
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે.