Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

141.

ગર્ભવિકાસના બીજા મહિને કયો ફેરફાર શક્ય નથી ?

  • શરીરનાં ધડની સાપેક્ષે શીર્ષનું કદ વધારે હોય છે, જે 2.5 સેમી લાંબુ હોય છે. 

  • આ તબક્કામાં ગર્ભ 4 સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવે. 

  • હવે ગર્ભને ભ્રૂણ કહેવાય તે 7.5 સેમી ઊંચાઈ અને 14 ગ્રામ વજન ધરાવે છે.

  • શરીરનાં મુખ્ય અંગો વિકસે અને તેમનાં કાર્યો શરૂ કરે. 


142.

શરીર ચળકતા લલ રંગનું દેખાવું, રુધિરવાહિનીઓ પારદર્શક ત્વચાની આરપર વૃદ્ધિ, સ્નાયુઓના સક્રિયતા કયા મહિનાનો ગર્ભવિકાસ સુચવે છે ?

  • બીજો મહિનો 

  • ત્રિજો મહિનો 

  • ચોથો મહિનો 

  • પાંચમો મહિનો


143.

વિધાન 1 : આ તબક્કે ગર્ભને ભ્રુણ કહેવાય છે, જે 7.5 સેમી ઊંચાઈ અને 14 ગ્રામ વજન ધરાવે.
વિધાન 2 : શરીર વૃદ્ધિ પામે, પરંતુ શીર્ષ મોટું જ રહે.
વિધાન 3 : ઉપાંગો લાંબા બને છે, ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન થાય છે.
વિધાન 4 : બાહ્ય જનનાંગો દેખાય, પરંતુ જાતિ ઓળખવી અઘરી હોય છે.

  • વિધાન 1,3 

  • વિધાન 2,4

  • વિધાન 1,2 

  • વિધાન 1,2,3,4 


144.

ગર્ભવિકાસના બીજા અઠવાડિયામાં કયો ફેરફાર શક્ય નથી ?

  • મધ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને અંત: ગર્ભસ્તર વચ્ચે ફેલાય છે.

  • ગર્ભકોષ્ઠકોથળીનું સ્થાપન એન્ડોમેટ્રિયમમાં ઊંડે ય્ય્તરવું. 

  • ગર્ભીય તકતી અને એલ્વકોથળીનો વિકાસ થવો. 

  • ગર્ભીય તકતી પહોળી થવી. 


Advertisement
Advertisement
145.

પ્રસૂતિ કોને કહેવાય ?

  • અંતઃસ્ત્રાવો આધારિત ભ્રુણને માતૃ શરીર બહાર ત્યજવાની ક્રિયાને
  • ગર્ભધારણની પરાકાષ્ઠાએ ગણતરીની દિવસોમાં ગર્ભાશયમાં ક્રમિક ઘટનાઓ અંતઃસ્ત્રાવો આધારિત બની સામૂહિક રીતે માતાના શરીરમાંથી શિશુને ત્યાગ કરવાની ઘટનાને. 
  • યોનીમાર્ગમાંથી શિશુને ત્યજવાની ક્રિયાને 

  • ગર્ભાશયમાંથી શિશુને ત્યાગ કરવાની ક્રિયાને 


B.

ગર્ભધારણની પરાકાષ્ઠાએ ગણતરીની દિવસોમાં ગર્ભાશયમાં ક્રમિક ઘટનાઓ અંતઃસ્ત્રાવો આધારિત બની સામૂહિક રીતે માતાના શરીરમાંથી શિશુને ત્યાગ કરવાની ઘટનાને. 

Advertisement
146.

ગર્ભવિકાસના ત્રિજા અઠવાડિયામાં કયો ફેરફાર થાય છે ?

  • હદય ધબકવાનું શરૂ કરે, 1 મિનિટમાં આશરે 60 વખત ધબકે.

  • ગર્ભીય તકતી પહોળી અને આદિ હદયનું નિર્માણ થવું. 

  • હદયનો વિકાસ થઈ હદય ધબકતુ બને. 

  • પ્રાથમિક મગજ આંખો, જઠર, મૂત્રપિંડ અને હદયનો વિકાસ થવો.


147.

નીચે આપેલ પૈકી વિધાનોને અઠમા, નવમા અને દશમા મહિનામાં થતાં ગર્ભવિકાસીય ફેરફારોને અનુલક્ષીને ક્રમમાં ગોઠવો.
વિધાન 1 : ભ્રુણ આશરે 42 સેમી લાંબુ અને 1800 ગ્રામ વજન ધરાવે છે.
વિધાન 2 : ફેફસાં વિકાસ પામે, તે જીવનને આધાર આપે.
વિધાન 3 : આ તબક્કે જો બાળજન્મ થાય તો તેનું જતન નિષ્ણાંતની સલાહ અનુસાર કરવું પડે.
વિધાન 4 : આ મહિનાને અંતે ભ્રુણનું કદ આશરે 46 સેમી હોય છે.
વિધાન 5 : આ મહિનાને અંતે ભ્રુણનુંં કદ આશરે 50 સેમી હોય, 3300 ગ્રામ વજન ધરાવે.
વિધાન 6 : આ તબક્કે માતા તેના બાળકના જન્મની રાહ જુએ છે.
ઉપરયુક્ત કયા વિધાનો ત્રીજા અઠવાડિયાના ફેરફાર સૂચવે છે ?

  • વિધાન 1,2,4,3,5,6

  • વિધાન 1,2,3,4,5,6 

  • વિધાન 1,2,6,4,5,3

  • વિધાન 1,2,5,3,4,6 


148. ગર્ભવિકાસના ચોથા અઠવાડિયાના ફેરફાર સાથે કયો વિકક્પ સુસંગત નથી ? 
  • હદયનો વિકાસ થઈ હદય ધબકતું થાય તેમજ પ્રાથમિક મગજ, આંખો, જઠર, મૂત્રપિંડ વિકસે છે. 

  • આ તબક્કામાં ગર્ભ 4 સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવે. 

  • ત્રણેય ગર્ભસ્તરે, વિકસી અને મધ્ય ગર્ભસ્તર, બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે ફેલાય.

  • આદિ ગર્ભનાળનો વિકાસ થવો. 


Advertisement
149.

વિધાન 1. ત્વચા ઓછી પારદર્શક બનવી અને વાળ દ્વારા ઘેરાય.
વિધાન 2 : આ તબક્કામાં જરાયુની વૃદ્ધિ મંદ બને.
વિધાન 3 : તેનાં પોપચાં જુદાં પડે પણ કીકી પડ દ્વારા આવરિત હોય.
વિધન 4 : ચરબીના અભાવે ત્વચા કરચલીમય બને.
વિધાન 5 : ભ્રુણ આશરે 32 સેમી કદ અને 650 ગ્રામ વજન ધરાવે.
વિધાન 6 : ભ્રુણ ગર્ભાશયમાં શક્તિશાળી રીતે ગોળ ફરે છે.
વિધાન 7 : ભ્રુણ તેની આંખો ખોલે છે.
વિધાન 8 : જો આ તબક્કો જન્મ થાય, તો તે મુશ્કેલી સાથે શ્વાસ લે છે.
ઉપરયુક્ત કયાં વિધાનો પાંચમો, છઠ્ઠો અને સાતમા મહિનાને અનુલક્ષીને કયા ગર્ભવિકાસીય ફેરફારો છે, તે વિકલ્પ દ્વારા પસંદ કરો.

  • પાંચનો મહિનો – વિધાન 6,7,8 છ્ઠ્ઠો મહિનો – વિધાન 3,4,5 સાતમો મહિનો – વિધાન 1,2 

  • પાંચમો મહિનો – વિધાન 1,2,3,4 છઠ્ઠો મહિનો – વિધાન સતમો મહિનો – વિધાન 7,8

  • પાંચમો મહિનો – વિધાન 1,2,3 છ્ઠ્ઠો મહિનો – વિધાન 4,5,6 સાતમો મહિનો – વિધાન 7,8 

  • પાંચમો મહિનો – વિધાન 1,2, છઠ્ઠો મહિનો – વિધાન 3,4,5 સાતમો મહિનો – વિધાન 6,2,8 


150.

ભ્રુણનિકાલ પરાવર્તનની ક્રિયા સાથે કયું વિધાન અસંત છે ?

  • યોનિમાર્ગના સ્નાયુઓનું પણ સંકોચન પ્રેરવાની શરૂઆત થાય છે.

  • ભ્રુણનિકાલ માટે ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા પ્રેરાય છે. 

  • ભ્રુણ નિકાલના સંકેતો પૂર્ણવિકસિત ભ્રુન અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. 

  • કોમળ ગર્ભાશય સંકોચન અનુભવવાની શરૂઆત ચેતા અંત:સ્ત્રાવી પ્રક્રિયા દ્વારા મેળવે. 


Advertisement