Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

51. સમભાજન માટે અસંગત વાક્ય કયું ? 
  • બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

  • ભાજનોત્તરવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. 

  • સમજાત રંગસુત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. 

  • માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. 


52.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. સમજાત રંગસુત્રની જોડમાં ગોઠવણી સૂત્રયુગ્મના નિર્માણ સાથે સંકલાયેલી છે. જે વીજાણુસૂક્ષ્મલેખ દ્વારા સમજી શકાય છે. 
2. સમજાત રંગસુત્રની જોડીના બે રંગસુત્ર દૂર ખસવાની શરૂઆતનો તબક્કો ડાયકાયનેસીસ છે. 
3. પુનઃ સંયોજીત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ પેકિટીનની લાક્ષણિકતા છે. 
4. અર્ધીકરણ્ના બે વિભાજન વચ્ચેના ગાળામાં જનીન દ્રવ્યનું સ્વયંજનન થતું નથી.  

  • T,F,F,F

  • F,T,T,F

  • T,F,T,T

  • T,T,T,T


53.

અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

  • બાળકોષમાં રંગસુત્રની સંખ્યા એકકીય હોય છે. 

  • બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.

  • અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. 

  • બાળકોષનું જનીનનુંબંધારન માતૃકોષ જેવું જ હોય છે. 


54.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. વનસ્પતિ કોષમાં તારાકેન્દ્ર હોતા નથી. 
2. S તબક્કામાં DNA નું પ્રમાણ 4C થાય છે. 
3. વિભાજનની પ્રક્રિયા સળંગ પ્રક્રિયા છે. 
4. G1તબક્કો DNA નું સ્વયંજનન કરે છે.

  • T,F,F,T

  • T,T,T,F

  • F,T,T,F

  • T,T,F,F


Advertisement
55.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. અર્ધીકરણ દ્વારા એકકીય પ્રકારના જન્યુનું નિર્માણ થાય છે. 

2. અધિચ્છદના સૌથી બહારના પડના કોષો અર્ધીકરણ્થી બદલાય છે. 
3. અર્ધીકરણની પૂર્વાવસ્થા – I લાંબી અને જટિલ છે. 
4. સમભજન વડે એકકોષથી જીવન શરૂ કરતાં બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે.

  • T,F,T,T

  • F,T,T,F

  • F,T,T,T

  • T,F,F,T


56.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. અલિંગી પ્રજનન એ સમભાજનનું સૂચક છે. 

2. પ્રાણીકોષમાં પરિધ વિસ્તારમાંથી ઉપસંકોચનની ક્રિયા શરૂ થાય છે. 
3. સેન્ટોમિયરના વિભાજન સાથે રંગસુત્રિકાઓ છૂટી પડે છે. 
4. રંગસુત્રનું પૂર્ણ સંકોચન થવાથી તેનું સૂક્ષ્મદર્શક વડે સ્પષ્ટ અવલોકન થઈ શક્તું નથી.

  • F,T,F,T

  • T,T,T,F

  • T,T,F,F

  • F,F,T,T


Advertisement
57.

વિધાન A : અર્ધીકરણ દરમિયાન ઉત્પન્ન થતા નવા કોષમાં માતૃકોષ કરતાં જનીન-બંધારણ ભિન્ન હોય છે.

કારણ R : પેક્ટિન તબક્કા દરમિયાન વ્યતિકરણથી જનીનની અદલાબદલી થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


A.

A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.


Advertisement
58.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. અર્ધીકરણમાં નવા બાળકોષોનું જનીન-બંધારણ માતૃકોષ જેવું હોય છે. 

2. સમભાજન પછી દરેક બાળકોના DNA તંતુ સરખા જ રહે છે. 
3. વ્યતિકરણ સમજાત રંગસુત્ર દ્વારા થાય છે. 
4. અર્ધીકરણ પામતો માતૃકોષ દ્વિકીય કે એકકીય હોય છે.

  • T,F,T,F

  • F,T,T,F

  • F,T,F,T

  • T,F,F,T


Advertisement
59.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. આંતરવસ્થામાં રંગસુત્ર ખૂબ વિસ્તરેલી ગોઠવણી ધરાવે છે. 
2. યીસ્ટમાં એક કોશચક્ર માત્ર 60 મિનિટમાં પૂર્ણ થાય છે. 
3. કોષચક્ર એ આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો સમયગાળો છે. 
4. અંત્યાવસ્થામાં કોષકેન્દ્રીકા આયોજક પ્રદેશ પર કોષકેન્દ્રીકા નિર્માણ પામે છે. 

  • F,T,T,T

  • T,F,T,T

  • T,F,F,T

  • F,T,F,T


60.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. સ્વસ્તીક ચોકડીની સંખ્યા રંગસુત્રની સંખ્યા પર આધાર રાખે છે.
2. અંત્યાવસ્થા- I માં કોષકેન્દ્રમાં રંગસુત્રની સંખ્યા પિતૃ કરતા અડધી હોય છે.
3. કોષરસનું વિભાજન દરેક કોષને એકબીજા સાથે સંકલિત રાખે છે.
4. વ્યતિકરણને લીધે જનીનોની એકરૂપતા જળવાય છે.

  • F,T,T,F

  • T,T,T,F

  • F,F,T,T

  • F,T,F,F


Advertisement