CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો.
કોઈ સમસ્યાનું નિરીક્ષણ કરવા માટે નિરીક્ષક જે તે ક્ષેત્ર પર જઈ ત્યાંની વાસ્તવીક પરિસ્થિતીનું અને ત્યાંનાં લોકોનું નિરીક્ષણ કરે તો તેને ‘ક્ષેત્ર નિરીક્ષણ’ કહેવાય.
મહત્વ : ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધરતીકંપ પછી ત્યાં નિવાસ કરતા અન્ય લોકોના અન્ય વ્યક્તિઓના સાથેના વર્તન અને વ્યવહારનો તેમજ તેમની માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો હોય, તો નિરિક્ષકે ધરતીકંપથી અસર પામેલા વિસ્તારોમાં જઈ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સરપંચ દ્વારા થયેલા મહિલા સશક્તિ કરણ અને મહિલા ઉત્થાનની પક્રિયા સમજવા ત્યાંની મહિલાઓએ પશુપાલન, ડેરીઉદ્યોગ, ભરત, ગૂંંથણ વગેરે ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનો અભ્યાસ કરવો જોઈએ.
આ પ્રકારના અભ્યાસો પ્રયોગશાળામાં શક્ય હોતા નથી. મનોવિજ્ઞાનની કેટલીક સમસ્યાઓનાં વિશ્વનીય પરિણામો પ્રાપ્ત કરવા માટે ‘ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ’ સૌથી વધુ ઉપયોગી છે.
નિરિક્ષણ એટલે શું ?