CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
20 સદીમાં વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાન ચરણસીમાએ થયેલા વિકાસના કારણે માનવીને ‘અર્થશૂન્યતા’નો વ્યાપક અનુભવ થવા લગ્યો. આથી પશ્ચિમના દેશોના યુવાનો ‘જીવનનો અર્થ’ અને ‘જીવનમાં શાંતિ’ મેળવવા માટે ‘યોગ’ અને ‘ધ્યાન’ના માર્ગ તરફ વળ્યા.
પશ્ચિમના દેશોમાં ‘યોગદર્શન’ પર આધારિત મહર્ષિ મહેશ યોગી દ્વારા દર્શાવાયેલી ‘ભાવાતીત ધ્યાન’ની પરંપરા ખૂબ જ પ્રચલિત બને અને ધ્યાનની અન્ય પ્રવૃત્તિઓની સરખામણીમાં ‘ભાવાતીત ધ્યાન’ અંગે સૌથી વધુ વૈજ્ઞાનિક અભ્યાસો થયા, જે નીચે મુજબ છે :
છેલ્લાં 50 વર્ષોમાં આશરે 50 લાખથી વધુ વ્યક્તિઓએ ભાવાતીત ધ્યાનની પદ્ધતિસરની તાલીમ લીધી છે.
ભાવાતીત ધ્યાનની બોધાત્મક, મનોવિજ્ઞાનિક અને વાર્તનિક તથા તેને સમાજજીવન પર પડતી વ્યાપક અસરો અંગે વિશ્વના 30 દેશોની 250 યુનિવર્સિટીઓમાં આશરે 600થી વધુ વૈજ્ઞાનિક અભ્યાસો થયેલ છે.
આ વૈજ્ઞાનિક અભ્યાસોમાંથી આશરે 50થી વધુ અભ્યાસો, 150 પ્રામાણિત વૈજ્ઞાનિક જર્નલોમાં પ્રકાશિત થયા છે.
ભાવાતીત ધ્યાનથી તબીબી સારવારની જરૂરિયાત અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જાણવા મળ્યું છે કે ભાવાતીત ધ્યાનના કારણે લોહિનું ઊંચુ દબાણ, કોલેસ્ટૅરોલ અને ડાયાબિટિસમાં સુધારો; આયુષ્ય અને તંદુરસ્તીમાં વધારો; સર્જનાત્મકતા, સ્મૃતિ, નિર્ણયશક્તિ, સમસ્યા ઉકેલ વગેરેમાં વધારો; ચિંતા અને ઉદાસિનતામાં ઘટાડો; શીખવાની શક્તિ અને શૈક્ષણિક સિદ્ધિમાં વધારો; કુટુંબ અને દાંપત્યજીવનના સમાયોજનમાં વધારો વગેરે જેવા અનેક શારીરિક, બોધાત્મક, મનોવિજ્ઞાનિક, વાર્તાનિક અને સામાજિક પરિવર્ત્યો પર વિધાયક અસરો જોવા મળી છે.
આમ, ધ્યાનની અનેકવિધ પદ્ધતિઓ અને રીતિઓ પ્રચલિત હોવા છતાં ‘ભાવાતીત ધ્યાન’ના વૈજ્ઞાનિક આધારો અંગે મહત્તમ સંશોધનો થયેલ છે.