Chapter Chosen

ભાષા અને પ્રત્યાયન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. 

ભાષા અને વિચાર વચ્ચેનો સબંધ સ્પષ્ટ કરો. 

ભાષાની વ્યાખ્યા આપી, તેનાં લક્ષણોની ચર્ચા કરો. 

ટુંકનોંધ લખો. 
પ્રત્યયન પ્રક્રિયાનું મૉડલ  

Advertisement
પ્રત્યયનાં કૌશલ્યો વિગતે સમજાવો. 

પ્રત્યાયનને અસરકારક બનાવવા માતે કેટલાંક સામાન્ય કૌશલ્યો પ્રેષક અને ગ્રાહક બંની વિકસાવવાં જોઈએ, જે નીચે મુજબ છે.

પ્રત્યયન હેતું વગરનું હોવું જોઈએ નહિ. પ્રેષક તથા ગ્રાહક બંનેએ પ્રત્યાયનને ધ્યેયલક્ષી બનાવવું જોઈએ. દા.ત., જ્ઞાન આપવાનો, આનંદમાં રાખવાનો કે ઉત્સાહ વધારવાનો હેતુ.

દરેક પ્રત્યયનન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. સ્પષ્ટ વિચારના અભાવે પ્રત્યયનની પ્રયુક્તિ નિષ્ફળ નીવડે છે.
પ્રેષક અને ગ્રાહક બંનેને અનૂકૂળ પડે તેવી પ્રત્યયનની પદ્ધતિ અને માધ્યમ પસંદ કરવાં જોઈએ. પ્રત્યયનને અસરકારક બનાવવા માટે એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. જટિલ માહિતી લેખિત સ્વરૂપે અને કૌટુંબિક માહિતી મૌખિક રીતે અપાય તો પ્રત્યયન અસરકારક બને છે.

પ્રત્યયનની રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ. પ્રેષકે સંદેશાને રસપ્રદ બનાવવો જોઈએ અને ગ્રાહકે સંદેશા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. ગ્રાહકે અનૂકૂળ કે પ્રતિકુળ પ્રત્યાયન પ્રત્યે ખુલ્લું મન રાખી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય કેળવવૌં જોઈએ. ગ્રાહકે શાબ્દિક તેમજ બિનશાબ્દિક સંકેતોને ધ્યાનમાં લેવા જોઇએ. જેથી છેતરાઈ ન જવાય.

વક્તાએ અસરકારક રીતે બોલવું જોઈએ અને શ્રોતાએ અસરકારક રીતે સાંભળવું જોઈએ.

શ્રોતાઓએ પ્રેષકને પોતાના પ્રતિભાવો આપવા તૈયાર રહેવું જોઈએ. દા.ત., ‘આપની વાતમાં મને સમજણ ના પડી.’ કે ‘આપના મત સાથે હું સહમત નથી.’ અને પ્રેષક એ પ્રતિભાવો મુજબ પોતાના પ્રત્યાયને અનુકુળ બનાવવું કે સુધારવું જોઈએ.

પ્રેષકનું કૌશલ્ય : પ્રેષકે પોતાનું કૌશલ્ય વિકસાવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

સંદેશો આપવાનં ધ્યેયો નક્કી કરો.

સામાન્ય વ્યક્તિ પણ સમહી શકે તે રીતે સંદેશાને સ્પષ્ટ બનાવો.

સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિની વય, જાતી, કેળવણી વગેરે ધ્યાનમાં લઈ સંદેશાની વિગત નક્કી કરો.

સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ પ્રશ્નો પૂછશે જ એમ વિચારીને તેના સંભવિત પ્રશ્નોના શક્ય ઉત્તરો તૈયાર રાખો.

સંદેશો આપવામાં કોઈ મુદ્દો રહી ન જાય તે માટે મહત્વના મુદ્દાઓની નોંધ રાખો.

આત્મવિશ્વાસથી અને પ્રભાવશાળી રીતે બોલો.

રજૂઆત કરતાં અગાઉ તેનો મહાવરો કરો.

પ્રત્યયન વખતે વાપરવાની સાધનસામગ્રીને ચકાસીને તૈયાર રાખો.

સમયમર્યાદામાં પ્રત્યાયન પૂરું કરો.

ગ્રાહકનું કૌશલ્ય : ગ્રાહકે સંદેશો યથાર્થ રીતે ઝીલવા અને સમજવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

પ્રત્યયન વિશે અગાઉથી પૂર્વગ્રહ બાંધી લેવો નહિ.

પ્રત્યયન વિશે અગાઉથી માહિતી મેળવો અને તેના વિશે વિચારો, જેથી વક્તા સાથે યોગ્ય ચર્ચા થઈ શકે.

પ્રત્યયન ચાલુ હોય ત્યારે વિપક્ષો કરવાનું ટાળો.

વક્તાના શબ્દો કરતાં અર્થ ઉપર વધારે ધ્યાન આપો.

તમે ઝીલેલા સંદેશાનો સારાંશ લખો.


Advertisement
Advertisement