CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિચારોની અભિવ્યક્તિ માટે ભાષા જરૂરી છે. ભાષા અને વિચાર વચ્ચેના સબંધો વિશે વિદ્ધાનોમાં જુદા જુદા ત્રણ મત પ્રવર્તે છે. 1. ભાષા વિચારને ઘડે છે., 2. વિચાર ભાષાને ઘડે છે અને 3. ભાષા અને વિચારોના ઉદ્દગમો જુદા જુદા હોય છે.
વ્યક્તિનો વિકાસ થાય તેમ તેમ ભાષા અને વિચાર વચ્ચે આંતરક્રિયા શરૂ થાય છે.
1. ભાષા વિચારને ઘડે છે : બેન્જામિન લી વ્હોર્ફના અભ્યાસ મુજબ “ભાષા વિચારના વિષયવસ્તુને નક્કી કરે છે. વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર આધારિત હોય છે. એટલે કે ‘જેવી ભાષા હોય તેવા વિચારના વિષયો હોય છે.’ આ દ્દષ્ટિકોણને ‘ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના’ કહે છે, વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષા આવતાં વર્ગીકરણો, વ્યક્રિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિને અસર કરે છે. દા.ત. ભારતીય ભાષાઓમાં જીવનના ચાર પુરુષાર્થો અને ચાર આશ્રમોની વાત મુખ્ય હોય છે. આથી ભારતીય ભાષાઓ બોલનાર વ્યક્તિઓના મનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના તેમજ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસ્તાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના વિચારો કેન્દ્રસ્થાને હોય છે.
આ જ પ્રમાણે ભારતીય ભાષાઓમાં નજીકના સગપણ અને સબંધીની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે. જેમ કે ભાઈ-ભાભી, દાદા-દાદી, કાકા-કાકી, ફુવા-ફોઈ, મામા-મામી, માસા-માસી વગેરે ભારતીય વ્યક્તિઓના સગાઓનો વિચાર કરે છે ત્યારે આ બધાં સગાઓને આવરી લે છે. જ્યારે અંગ્રેજી ભાષમાં આ પ્રકારના સગપણની વિવિધતા દર્શાવવા માટે ‘અંકલ’ અને ‘આન્ટી’ એમ બે જ શબ્દો વપરાય છે. અંગ્રેજી ભાષમાં 50થી વધુ રંગોના નામ છ્હે. કેમ કે તેમના જીવનમાં રંગોની વિવિધ છટાઓ નું મહત્વ છે. જ્યારે ભારતીય ભાષાઓમાં રંગોના નામ પ્રમાણમાં ઓછાં છે.
2. વિચાર ભાષાને નડે છે : સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના મત અનુસાર ‘વિચાર ભાષા કરતાં પહેલાં ઉદ્દભવે છે અને ભાષાના શબ્દો પર અસર કરે છે.’ એટલે કે વિચારના ઉદ્દભવ માટે ભાષાની જરૂર નથી. શબ્દોના અર્થ સમજવા માટે પણ પહેલાં વિચાર કરવો જરૂરી છે.
જીન પિયાજેના અભિપ્રાય મુજબ બાળકો આ દુનિયાનું આંતરિક નિરૂપણ વિચારણાના માધ્યમથી જ કરે છે. જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરે છે, ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેલી હોતી નથી તે અવશ્ય ઉદ્દભવે છે. બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં અને વર્તનનું અનુકરણ કરવામાં ભાષાનો નહિ. પરંતુ વિચારણાનો ઉપયોગ થાય છે. આ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી. વિચારણાનાં સાધનોમાં ભાષા એ માત્ર એક સાધન છે, પરંતુ વિચારના ઉદ્દભવ માટે ભાષા જરૂરી નથી. પિયાજેના મતે, ભાષા બાળકોને શીખવી શકાય છે, પરંતુ શબ્દોને સમજવા માટે વિચારની જરૂર છે. આમ, ભાષાને સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે.
3. ભાષા અને વિચારના ઉદ્દગમો જુદ જુદા હોય છે : રશિયન મનોવિજ્ઞાનિક લેવ વાયોગોત્સકીના મત અનુસાર ભાષા અને વિચારનો ઉદ્દભવ અને વિકાસ જુદાં જુદાં સ્થાનોમાંથી થાય છે. અને જુદી જુદી રીતે થાય છે. શરૂઆતમાં બંનેનો વિકાસ અલગ અલગ પરતુ સમાંતર ચાલે છે અને બે વર્ષની ઉંમર સુધીમાં ભાષા અને વિચાર એકબીજા સાથે ભળી જાય છે. બે વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચર એ પૂર્વશાબ્દિક બાબત હોય છે. બાળક વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ ક્રિયાઓમાં કરે છે. જેમ કે બાળક પેડાની અભિવ્યક્તિને રડીને કરે છે. લગભગ બે વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારોને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે અને વાણીમાં તાર્કિકતા દેખાય છે. બે વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે.