Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વ્યક્તિત્વનો મનોત્યાગાઅત્મક અભિગમ સમજાવો. 

આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવો. 

ટુંકનોંધ લખો.
વ્યક્તિને અસર કરતાં પરિબળો

Advertisement
'સ્વ' એટલે શું ? 'સ્વ'ની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચો.

લગભગ ત્રણ હજાર વર્ષ પૂર્વે ભારતીય તત્વજ્ઞાનમાં ‘સ્વ’ વિશેની તર્કિક ચર્ચા કરવામાં આવી છે. ગીતામાં પણ ‘સ્વ’ની ઝીણવટભરી તાર્કિક ચર્ચા કરવામાં આવી છે. અહીં, આપણે ‘સ્વ’ વિશેની મનોવૈજ્ઞાનિક ચર્ચા કરીશું.

સ્વ નો અર્થ : ‘સ્વ’ એ વ્યક્તિનું એક એવું કેન્દ્ર છે, જેની આસપાસ વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એ કેન્દ્ર વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓના સુગ્રથનમાંથી રચાય છે. ફરેક વ્યક્તિમાં આ કેન્દ્ર સતત ગતિશીલ અને વિકાસશીલ હોય છે. વ્યક્તિના વિકાસના વિકાસનો વ્યાપ મહદ અંશે આ કેન્દ્રની વિકસશીલતા પર અવલંબે છે.

‘સ્વ’ એટલે પોતાની જાત પ્રત્યેની સભાનતા, વ્યક્તિનું પોતાનું જ પોતાની જાત વિશેનુંં પ્રત્યક્ષીકરણ.

આમ, ‘સ્વ’ વ્યક્તિના વિચારો, મૂલ્યો અને વ્યક્તિની લાક્ષણિકતાઓને રજૂ કરતું પરિબળ છે. ‘સ્વ’ વ્યક્તિના ગુણો, રુચિઓ, પ્રવૃત્તિઓ, માન્યતાઓ, સામાજિક તાદાત્મ્ય વગેરે દર્શાવેછે. દરેક વ્યક્તિને ‘હું છું’ એવી પ્રતીતિ ‘સ્વ’ને કારણે જ થાય છે.

‘સ્વ’ વ્યક્તિના અનુભવના પાયા પર રચયેલું સંગઠિત બોધાત્મક માળખું છે. ‘સ્વ’ બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ‘સ્વ’માં અંગત અનુભવોનું માનસિક નિરૂપણ હોય છે. ‘સ્વ’ વ્યક્તિના ગુણો, રુચિઓ, પ્રવૃત્તિઓ, માન્યતાઓ, સામાજિક તાદાત્મ્ય વગેરે દર્શાવે છે. દરેક વ્યક્તિને ‘હું છું’ એવી પ્રતીતિ ‘સ્વ’ને કારણે જ થાય છે.

‘સ્વ’ વ્યક્તિના અનુભવના પાયા પર રચાયેલું સંગઠિત બોધાત્મક માળખુંં છે. ‘સ્વ’ બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ‘સ્વ’માં અંગત અનુભવોનું માનસિક નિરૂપણ હોય છે. ‘સ્વ’માં ભૌતિકશરીરનો ખ્યાલ, વિચાર પ્રક્રિયાઓ અને અસ્તિત્વના સભાન અનુભવનો સમાવેશ થાય છે. જ્યારે વ્યક્તિ પોતાની જાતને અનુભવનું વિષયવસ્તુ બનાવે ત્યારે ઊપજતા તેના બધા વિચારો અને લાગણીઓના સમૂહને ‘સ્વ’ કહેવાય છે.

સ્વ’ ની વ્યાખ્યા : ‘સ્વ’ વિશે કેટલાક મનોવિજ્ઞાનિકોએ આપીલી વ્યાક્યા નીચે મુજબ છે.

1. ક્રચ, ક્રચફિલ્ડ અને બેલાચી : “વ્યક્તિત્વનિ ‘સ્વ’ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે,”

2. બી. કુપ્પુસ્વામી : “’સ્વ’ એટલે પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાન સબંધના જે અર્થો કરે છે તે,”

3. એ.ટી.જર્સિલ્ડ : “’સ્વ’ એ સાદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી, ‘સ્વ’ એ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધારણવાળો છે.”

‘સ્વ’ નું સ્વરૂપ : ‘સ્વ’ની વ્યાખ્યાઓના આધારે ‘સ્વ’નું સ્વરૂપ નીચે મુજબ છે.

1. ‘સ્વ’નું આત્મલક્ષી સ્વરૂપ : ‘સ્વ’નું આત્મલક્ષી સ્વરૂપ વ્યક્તિનાં એવાં ગુણલક્ષણો સૂચવે છે, જે તેને અન્ય વ્યક્તિઓ કરતાં જુદા પાડે છે, વ્યક્તિ જ્યારે પોતાનો પરિચય આપે, પોતાની માન્યતા દર્શાવે, પોતાની ગર્ભિત શક્તિ કે કૌશલ્ય દર્શાવે, પોતાની માન્યતા દર્શાવે ત્યારે વ્યક્તિ પોતાના ‘સ્વ’ના અત્મલક્ષી સ્વરૂપને દર્શાવે છે. દા.ત., ‘હું નરેન્દ્ર છું’, ‘હું સમાજ સેવક છું’, ‘હું પુરુષાર્થમાં માનું છું’. વગેરે.

2. ‘સ્વ’નુંં વસ્તુલક્ષી સ્વરૂપ : ‘સ્વ’ના જે મૂળભૂત ગુણો છે તે ગુણો જ્યારે તેના મૂળ સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે તે વ્યક્તિનું વસ્તુલક્ષી સ્વરૂપ કહેવાય છે. દા.ત., વ્યક્તિ સુંદર ચિત્રો દોરતો હોય અને પોતાનો ‘ચિત્રકાર’ તરીકે પરિચય આપે ત્યારે તે તેનાંં ‘સ્વ’નું વસ્તુલક્ષી સ્વરૂપ દર્શાવે છે તેમ કહેવાય.

‘સ્વ’નું આત્મલક્ષી સ્વરૂપ તેને ‘કર્તા’ તરીકે અને ‘સ્વ’નું વસ્તુલક્ષી સ્વરૂપ તેને ‘વિષયવસ્તુ’ તરીક રજુ કરે છે. ‘કર્તા’ તરીકે ‘સ્વ’ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે. આમ, ‘સ્વ’ એ ‘કર્તા’ તરીકે ‘જ્ઞાતા’ છે.


Advertisement
વ્યક્તિત્વનો અર્થ આપી, વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ સમજાવો. 

Advertisement