CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચોપગા પ્રસ્થાનના પ્રકારો જણાવી, કયું પ્રસ્થાન શ્રેષ્ઠ છે ?
નિરાયાસ દોડ એટલે શું ?
પ્રસ્થાન ટેકા
પ્રસ્થાન ટેકાઓ : 400 મીટર સુધીના અંતરની બ્ધીએ જ દોડ માટે પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવો તેમજ ચોપગું પ્રસ્થાન લેવું ફરજિયાત છે.
ચોપગા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ ઈ.સ. 1887માં ચાર્લ્સ એચ. શેરિલ નામના હરિફે કરેલો. તે વખતે પ્રાસ્થાન ટેકા અસ્તિત્વમાં નહોતા. હરીફો ટ્રેકમાં ખાડા પાડીને જમીનમાં પગ ટેકવીને ધક્કાનો લાભ મેળવતા. સમય જતાં ખેલાડીઓ પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવા લાગ્યા.
ચોપગા પ્રસ્થાનના ટેકાઓના ઉપયોગથી દોડવીરને નીચે પ્રમાણે લાભ મળે છે:
1. દોડવીરનાં બંને પગ પાછળ ખસતા નથી.
2. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી પગ વડે ધક્કો મારીને જોશપૂર્વક અનેઝડપથી દોડી શકાય છે.
3. દોડવીરના શરીરનું ગુરુત્વમધ્યબિંદુ દોડની દિશામાં પાયાની આગળ અને જમીનથી ઉંચે હોવાથી ઝડપથી સમતોલન મેળવીને શરૂઆતથી ગતિ પ્રાપ્ત કરી શકે છે.
પ્રસ્થાન ટેકાની ગોઠવણી : પ્રસ્થાન ટેકાઓ સખત ધાતુ, લાકડા કે હલકાં વજનની ધાતુની પાઈપ અથવા ફઈબરમાંથી બનાવવામાં આવે છે. તેની બંને બાજુએ હરીફના પગના પંજાનો તળિયાનો ભાગ મૂકવાની જગ્યા માટે એક-એક ફૂટ-પ્લેટ ફીટ કરવામાં આવે છે. આ ફૂટ-પ્લેટને ટૂંક પ્રસ્થાન, મધ્યમ પ્ર્સ્થાન અને લંબ છેડે એક-એક કાણું હોય છે. એ કાણામાં ખીલા ઠોકીને પ્રસ્થાન ટેકા ટ્રેક પર ફિટ કરવામાં આવે છે. જેથી પ્રસ્થાન લેતી વખતે દોડવીરના પગના પંજાના પાછળ તરફના ધક્કાથી પ્રસ્થાન લે એ પછી ખીલાને ટ્ર્કની બહાર, ટ્રૅકને નુકસાન કર્યા સિવાય, ખેંચી શકાય.