Chapter Chosen

વ્યાયામની અસરો

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વ્યાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. 

‘સાદી ભાષામાં કસરતો એટલે શારીરિક હલનચલનની ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ’ આ વિધાન સમજાવો. 

કસરતોથી રુધિરાભિસરણતંત્ર પર થતી તાત્કાલિક અસરો વર્ણવો. 

Advertisement
ભારે પ્રકારની કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતની અસરો જણાવો. 

ભારે કસરતોમાં ઝડપથી ચાલવું, દોડવું, ઝડપથી સાઈકલિંગ કરવું, સાઈકલ અર્બેમિટર ઉપર વિવિધ કાર્યભાર સાથે ઝડપથી સાઈકલિંગ કરવું, ઝડપથી તરવું તેમજ દરેક પ્રકારની રમતોનો સમાવેશ થાય છે. આ પ્રકારની કસરતો કરવાથી નીચે પ્રમાણે અસરો થાય છે.

શરીરના સ્નાયુઓમાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપથી બને છે. એ ઝડપી ક્રિયાને પહોંચી વળવા માટે વધારે ઑક્સિજનની જરૂર ઊભી થાય છે. જરૂરી ઑક્સિજન જે-તે સ્નાયુઓ સુધી લોહી દ્વારા પહોંચે છે.

રાસાયણિક પ્રતિક્રિયા માટે જરૂરી ઓક્સિજન પૂરો પાડવા માટે હ્રદય અને ફેફસાં વધારે ઝડથી કામ કરવું પડે છે.

ઑક્સિજનની જાહરીમાં ઊર્જા ઉત્પન્ન કરતી પ્રણાલીને જારક ઊર્જા કહેવામાં આવે છે. ઑક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જા અજારક ઉર્જા કહે છે. લાંબા સમય સુધી કસરત કરનાર વ્યકતિની ઍરોબિક શક્તિમાં 18% નો વધારો થાય છે; જ્યારે તેની અનઍરોબિક શક્તિમાં 38% નો વધારો થાય છે.

આરામની સ્થિતિમાં દર મિનિટે સરેરાશ 78 લિટર ઑક્સિજનને જરૂર રહે છે, જે ભારે કસરતોમાં વધીને 100 લિટર થાય છે.

આરામની સ્થિતિમાં શ્વાસોચ્છવાસની પ્રત્યેક ક્રિયામાં હવાના જથ્થાની જરૂરિયાત 0.6 જેટલું હોય છે. તે કસરત દરમિયાન વધીને 3.5 લિટર જેટલી થાય છે.

આરામની સ્થિતિમાં એક મિનિટ પ્રત્યેક શ્વાસોચ્છવાસનું પ્રમાણ 14 થી 16 જેટલું હોય છે, તે કસરત દરમિયાન વધીને 30 જેટલું થાય છે.

ભારે કસરતને લીધે વ્યક્તિની શ્વસનશક્તિમાં વધારો થાય છે.


Advertisement

હળવી કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતોની અસરો જણાવો. 


Advertisement