CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઓઝોન સ્તરનું વિઘટન સમજાવો. અથવા ઓઝોન સ્તરામાં ઘટાડાની સમસ્યા સમજાવો.
સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલાં ઓઝોન સ્તરમાં ઘટાડો હાલની ગંભીર વૈશ્વિક સમસ્યા છે.
ઓઝોન સ્તરમાં ઘટાડો સૌપ્રથમ 1980ના વર્ષમાં નોંધાયેલો છે. દક્ષિણ ધ્રુવ વિસ્તારના ઓઝોન સ્તરમાં 40-50% ઘટાડો થયેલો છે. મોટા પ્રમાણમાં ઓઝોન સ્તરમાં ઘટાડાની આવી ઘટનાને ઓઝોન છિદ્ર (ઓઝોન ગર્ત) કહે છે. આવા ઓઝોન છિદ્ર ઉત્તર ધ્રુવ વિસ્તારમાં પણ નોંધાયા છે સમગ્ર પૃથ્વી ફરતે ઓઝોન સ્તરમાં ઘટાડો નોંધાયેલો છે.
માનવ રહેઠાણવાળા વિસ્તારોમાં પણ ઓઝોન છિદ્રો ફેલાવાની સંભાવના રહેલી છે. પરંતુ આમ થશે કે નહિં તેનો આધાર પવન, આબોહવાની પરિસ્થિતિ અને વાતાવરણમાં તરતી અશુફદ્વિઓ (SPM – Suspended Particulate Matter ) પર છે.
ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર પરિબળ : વાતાવરણમાં ક્લોરિનનો ઉમેરો ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય પરિબળ છે.
ક્લોરીન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઑક્સિજનના એક પછી એક અણુ દૂર થાય છે.
આ પ્રક્રિયામાં ક્લોરિનનો એક પરમાણુ ક્રમશઃ ઓઝોનના 1,00,000 અણુઓનું વિઘટન કરે છે.
ક્લોરીનનો સ્ત્રોત CFC (ક્લોરોફ્લોરોકાર્બન) છે. તે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય સંયોજન છે. રેફ્રિજરેટર અને ઍરકંડિશનરમાં ઉપયોગી ફ્રિઓન આવો એક પદાર્થ છે.
કારણ આપો.
ઉપભોક્તા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શક્તિ માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.
નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.
કારણ આપો.
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે.
ઓઝોનના નિર્માણની ક્રિયા સમજાવી, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્ત્વ જણાવો.