“તમે રાજરાણીનાં ચીર સમ, રંક નારની ચૂંદડી!” દ્વારા કવિ શું કહેવા માગે છે?
“તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!” આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઇશ્વર રાજરાણીનાં ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે તે બે-ચાર વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વારતહેવારો એ ચૂંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ, ઇશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે, અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત્ અમારે મન એ ચિરસ્મરણીય છે.