‘દીકરી’ ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે?
‘દીકરી’ ગઝલમાં કવિએ દીકરીનાં ગૌરવ અને ગુણોને મૂલવ્યાં છે. કવિને સ્વર્ગની એક-એક દેવીમાં દીકરીની ગઝલ દેખાય છે. દીકરી સુખડ-ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૈંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ મીઠડી લાગે છે. કોઈ વારસો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશાં ફડક માં ઊછરતી રહી છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું. આશિષ આપ્યાં એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઇ છે! આજે એ મને હાથ દે છે અર્થાત્ મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભુલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ, વહાલી અને મીઠડી દીકરીનાં ગૌરવભર્યાં સ્થાન અને માન હંમેશાં પિતાના હ્રદયમાં રહેવાનાં.