‘ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં’ દ્ધારા કવિ શું સૂચવે છે?
‘ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમા’ પંક્તિમાં ‘ચાલો જીવ’, શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી લીધું છે. હકીકત એ જ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે. એટલે વતનની યાદોને જ અમૂલ્ય સંભારણું ગણીને હ્રદયમાં સાચવી રાખવું જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આપવાનો નથી. આથી કવિએ ચાલો જીવ, એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે. વાસ્તવિકતા સ્વીકારી લીધી છે.
Advertisement
કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ કોની જેમ ચાલવાનું કહે છે?