રાયચંદને ક્યારે પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું?
એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાપે દંશ દીધો. સર્પદંશથી તેઓ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું એ રાયચંદ જાણતા નહોતા. તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. પછી માણસ હાલીચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ-પી ન શકે. એટલે તેને તળાવ પાસેના સ્મશાનમાં બાળી આવે. બાળ રાયચંદને ઉત્સુકતા થઈ. તળાવ પાસેના ઝાડ ઉપર ચડીને તેમણે ભડભડ બળતી ચિતાને જોઈ. આ ઘટના જોયા પછી તેમના મનમાં ચોચારોનું મનોમંથન શરૂ થયું. તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. એમાંથી જ તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું.