‘શિકારીને’ કાવ્યનો ભાવાર્થ સમજાવો.
કાવ્યના આરંભે ‘રહેવા દે! રહેવા દે’ એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રુર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરબાર છે. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર મળે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફુલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃએતિતત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી એમાં રહેલાં સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવથી એમાં રહેલાં સૌંદર્યનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્યદ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહ્યદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં ‘વસુધૈવકુટુંબકમ્’ની ભાવના રહેલી છે.