Chapter Chosen

આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઉત્ક્રાંતિ એટલે શું ? તે કયા લૅટિક શબ્દ પરથી મેળવાયો છે ? તેનો અર્થ જણાવો.


ભિન્નતા એટલે શું ? પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સર્જન અને તેમનું મહત્ત્વ જણાવો. અથવા સમજાવો ;

ભિન્નતાઓ ઉદભવ અને ઉત્ક્રાંતિ

વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ‘T’ પ્રભાવી છે અને જનીન ‘t’ પ્રચ્છન્ન છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. 

અથવા 

વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો.

ટૂંકી માહિતી આપો : આનુવંશિકતા અને ભિન્નતા


Advertisement

“ દરેક જાતિ પોતાનું અલગ વ્યક્તિત્વ જાળવે છે, છતાં સંતતિ તેના પિતૃને સંપૂર્ણપણે મળતી આવતી નથી.” સમજાવો.


દરેક જાતિની ઓળખ કેટલાંક વિશિષ્ટ લક્ષણો દ્વારા થાય છે. આ લક્ષણોથી જાતિ પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવે છે.

પૃથ્વી પર જીવંત સજીવો કે લિંગી પદ્વતિથી પ્રજનન કરે છે. પ્રજનનની ક્ષમતાને કારણે સજીવો નવી પેઢીની સંતાતિનું સર્જન કરે છે. પ્રજનન દ્વારા પિતૃનાં લક્ષણો વારસામાં વહન પામે છે. જે-તે જાતિમાં મૂળભૂત લક્ષણોના વારસાગમનને કારણે સંતતિ પિતૃઓને ગાઢ રીતે મળતી આવે છે અને જાતિનું અલગ વ્યક્તિત્વ જળવાઈ રહે છે.

પરંતુ, સતત અને ક્રમિક ફેરફારની પ્રક્રિયાઓ દ્વારા સજીવોમાં ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ પણ વારસામાં વહન પામતી હોવાથી સંતતિ તેના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોતી નથી.

આથી દરેક જાતિ પોતાનું અલગ વ્યક્તિત્વ જાળવે છે, છતાં સંતતિ તેના પિતૃને સંપૂર્ણપણે મળતી આવતી નથી.

Advertisement
Advertisement