CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પોષણ અને ખોરાક એટલે શું ? ખોરાકમાં કયાં કયાં પોષક તત્ત્વો હોય છે ?
પોષણપદ્વતિ એટલે શું ? સજીવોમાં જોવા મળતી પોષણપદ્વતિના વિવિધ પ્રકારનાં નામ અને ઉદાહરણ જણાવો.
જીવંત પ્રક્રિયાઓ એટલે શું ? સજીવોની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ સમજાવો.
આપણા માટે પોષણનું મહત્ત્વ જણાવો.
અથવા
પોષણ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. સમજાવો.
આપણા શરીરની વિવિધ ક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત રહેલી છે. આપણે ઊર્જાનો ઉપયોગ વિવિધ કાર્યો કરવા માટે કરીએ છીએ. દા. ત., ચાલતી વખતે અથવા સાઈકલ વખતે ઊર્જાનો ઉપયોગ થાય છે.
જ્યારે કોઈ બાહ્ય કાર્ય ન કરતા હોઈએ ત્યારે પણ શરીરમાં ઊર્જાનો ઉપયોગ થાય છે. આમ, ઊર્જા આપણા જીવનને ટકાવી રાખે છે. આપણો ખોરાક આ ઊર્જાનો સ્ત્રોત છે.
ખોરાકનાં પોષક દ્રવ્યોનો ઊર્જાપ્રાપ્તિ માટે, શરીરના વૃદ્વિ અને વિકાસ માટે તેમજ કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, પ્રોટીન અને બીજા જરૂરી પદાર્થોનું સંશ્લેષણ કરવા માટે શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે.
આમ, પોષણ દેહધાર્મિક કાર્યો માટે અને તે દ્વારા જીવન ટકાવી રાખવા માટે ખુબ જ જરૂરી છે.
શ્વસનના પ્રકારો સમજાવો. અથવા નોંધ લખો : (1) જારક શ્વસન (2) અજારક શ્વસન