CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવી જ્ઞાનેન્દ્રિયો વડે માહિતીનો સંગ્રહ કરે છે. આ મહિતી ટુંકાગાળાની સ્મૃતિમાંથી લાંબા ગાળાની સ્મૃતિમાં જાય છે. લાંબા ગાળાની સ્મૃતિમાં રહેલી માહિતી શુદ્ધ સ્વરૂપમાં રહેતી નથી. સંગૃહિત થયેલે માહિતી ઉપર માનવી મગજ વડે વિવિધ બેધાત્મક પ્રક્રિયાઓ કરે છે. માહિતી ઉપર થતી વિવિધ પ્રક્રિયાઓમાં રૂપાંતર, લઘુકરણ, વિસ્તરણ, અતિશયોક્તિ, વિકૃતિકરણ, ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. તેને ‘માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ’ કહેવામાં આવે છે.
માહિતી પ્રક્રિયાકરણના અભિગમ મુજબ માનવી એક કમ્પ્યુટરની જેમ વાતાવરણમાંથી માહિતી મેળવે છે. આ માહિતીની એક ચોક્કસ ક્રમમાં પ્રક્રિયા થાય છે અને કોઈ નિર્ણય પર આવીને માનવી અમુક ખાસ પ્રતિક્રિયા કરે છે. આથી આ અભિગમને ‘કમ્પ્યુટર રૂપક’ પણ કહેવાય છે.
આ ભિગમનું એક અમૂર્ત વિશ્ર્લેષણના રૂપમાં વર્ણન કરવામાં આવે છે, કારણ કે આ અભિગમ મગજની ચેતાકીય ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપતો નથી. આથી બોધાત્મક મનોવૈજ્ઞાનિકોની સરખામણી ‘કમ્પ્યુટર પ્રોગ્રામર’ સાથે કરવામાં આવે છે.
કમ્પ્યુટર પ્રોગ્રામર એવો પ્રોગ્રામ બનાવે છે, જેના આધારે કમ્પ્યુટરના ભાગો વિશે વિચારવનું નથી, કારણ કે હાર્ડવેર તો કમ્પ્યુટરમાં અગાઉથી જ અસ્તિત્વ ધરાવે છે. પ્રોગ્રામરે તો માત્ર પ્રોગ્રામમાં કઈ રીતે ડેટાનું સ્ટ્રકચર ગોઠવવાનું છે તેનો જ વિચાર કરવાનો છે. આમ, કમ્પ્યુટર પ્રોગ્રામ અને કમ્પ્યુટર બંને સ્વતંત્ર બાબત છે.
આ અભિગમમાં માનનારા વૈજ્ઞાનિકો ‘કમ્પ્યુટર પ્રોગ્રામર’ જેવા છે. તેમને માનસિક પ્રક્રિયા માટે જવાબદાર ચેતાકીય આધારો સાથે સબંધ નથી. તેઓ વિચારણા, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, સમસ્યા ઉકેલ વગેરે માનસિક પ્રક્રિયા માટેની મગજની રચના, તેના વિવિધ ભાગો કે ચેતા આવેગો વિશે વિચારતા નથી.
આ અભિગમના વૈજ્ઞાનિકો માત્ર જ્ઞાનેન્દ્રિયો મારફતે પ્રાપ્ત થતી અમુક માહિતીની બોધાત્મક પ્રક્રિયાનું સંચાલન કઈ રીતે થાય છે તેનો માત્ર અભ્યાસ કરે છે.
માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન (Model) : કમ્પ્યુટરનો વપરાશ વધતાં બોધાત્મક ક્રિયાઓના અભ્યાસમાં માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન વિકાસ પામ્યું છે.
કમ્પ્યુટર મનોવૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનમાંથી કમ્પ્યુટર વિજ્ઞાનમાંથી જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે. કારણ કે માનવિનું મન અને કમ્પ્યુટર બંને માહિતી પર વિવિધ તબક્કાઓમાં પ્રક્રિયા કરે છે. આથી માનસિક કે બોધાત્મક ક્રિયાઓની કામગીરીને કમ્પ્યુટરની કામગીરી સાથે સરખાવવામાં આવે છે.
ઈ.સ. 1940ના દાયકાના આંતમાં જૉન વૉન ન્યુમૅન દ્વારા કમ્પ્યુટરની રચના કરવામાં આવી હતી અને ઈ.સ. 1950ના સાયકામાં બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે માનસિક ક્રિયાઓ કમ્પ્યુટરની રચના દ્વારા સમજાવી શકાય છે.
બોધાત્મક મનોવિજ્ઞાનિકોએ વિકસાવેલું આ મૉડલ કમ્પ્યુટર સાદ્રશ્યતા કે સમાનતા પર આધારિત છે. માનવીનું મગજ પણ કમ્પ્યુટરની જેમ કાર્ય કરે છે. જેમાં માનવીનામગજને કમ્પ્યુટરના સૉફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે.
માનવ મગજ અને કમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના હર્બટ સિમોને કરી છે. આ મૉડલ મુજબ જેમ કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તેમ માનવીનું સાંવેદનિક તંત્ર ‘ઈનપુટ ચૅનલ’ તરીકે મગજ સુધી માહિતી પહોંચાડવાની કામગીરી હોય છે.
જેમ કમ્પ્યુટરમાં રહેલું સૉફ્ટવેર એન્ટર કરવામાં આવેલ ડેટા પર પ્રોસેસિંગ કરે છે, તેમ મગજ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઈનપુટ થયેલી માહિતી પર માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસિંગ કરે છે.
તેમ માહિતી પર પ્રક્રિયાકરણ થવાથી તે માહિતી આપણા સ્મૃતિતંત્રમાં જળવાઈ રહે છે.
જેમ કમ્પ્યુટરમાં સંગૃહિત માહિતી જરૂર પડે ત્યારે બહાર લાવી શકાય છે, તેમ આપણે પણ જ્યારે માહિતીની જરૂર પડે ત્યારે સ્મૃતિતંત્રમાંથી પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ.
માનવીનું ‘બોલવું’ કે ‘લખવું’ એ કમ્પ્યુટરના ‘સ્પીકર’ કે ‘પ્રિન્ટર’ જેવું છે. જેને કમ્પ્યુટરની ભષામાં ‘આઉટપુટ’ કહેવામાં આવે છે.
મહિતી માનવી દ્વારા એન્ટર કરવામાં આવે છે. આથી આ માહિતી સ્પષ્ટ અને સંકેતપદ્ધતિ અનુસારની હોય છે અને આંખ તથા કાનથી મળેલી માહિતી ક્યારેક અસ્પષ્ટ હોય છે અને આંખ તથા કાનથી મળેલી માહિતી ક્યારેક વ્યક્તિલક્ષી પણ હોય છે.
મનવ મગજ નવા નિયમો, સંબંધો, સંક્લપનાઓ, ભાતો વગેરે શીખવાની અકલ્પનીય ક્ષમતાઓ ધરાવે છે અને નવી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ અને સામાન્યીકરણ કરી શકે છે. જ્યારે કમ્પ્યુટર નવું શીખવાની અને તેનો ઉપયોગ કરવાની બાબતમાં ઘણી મર્યાદા ધરાવે છે.