CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આધુનિક યુગમાં મનોવિજ્ઞાનના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ જીવનનાં દરેક ક્ષેત્રોમાંથી વ્યાપક પ્રમાણમાં થાય છે. જે ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ પ્રારંભથી થયો છે તે આજે મનોવિજ્ઞાનનાં વિકસિત ક્ષેત્રો છે. ‘પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન’ની સમજૂતી નીચે મુજબ છે.
1. પ્રાયોગિક મનોવિજ્ઞાન (Experimental Psychology) : પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનના સૈદ્ધાંતિક અને વ્યાવહારિક જ્ઞાનનો ઉપયોગ જીવનનાં દરેક ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં થાય છે. જે ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ પ્રારંભથી થયો છે તે આજે મનોવિજ્ઞાનનાં વિકસિત ક્ષેત્રો છે. ‘પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન’ની સમજૂતી નીચે મુજબ છે.
આ ક્ષેત્રમાં કાર્ય કરતાં મનોવૈજ્ઞાનિકો માનવી અને પ્રાણીઓ પર પ્રયોગિક અભ્યાસો કરીને પરિણામે અને સિદ્ધાંતો તારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
માનવી પર પ્રયોગ કરવાનું શક્ય ન હોય ત્યારે પ્રાણીઓ પર અભ્યાસ કરવામાં આવે છે.
મનોવિજ્ઞાનનું આ ક્ષેત્ર માનવીના વર્તન સાથે જોડાયેલી સરળ અને જટિલ બાબતોની સમજ માટે, સિદ્ધાંતો અને નિયમોની ચકાસણી કરવા માટે તથા નવાં સત્યો બહાર લાવવા માટે અગત્યનું છે.
વર્તનમાન આ ક્ષેત્રનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાંતો માનવી અને પ્રાણીઓ પર અભ્યાસો કરીને નવાં તથ્યો બહાર લાવી રહ્યા છે.
2. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન (Psychometric Psychology) : મનોમાપનનું મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની આધુનિક શાખા છે.
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો પ્રારંભ બીને અને સાયમને રચેલી બુદ્ધિકસોટિઓ સાથે થયો હતો.
વ્યક્તિના મનોવલણો, પૂર્વગ્રહો, બુદ્ધિ, વિશિષ્ટ માનસિક શક્તિઓ, અભિરુચી, અભિયોગ્યતા, સિદ્ધિ, વ્યક્તિત્વ વગેરે વર્તનનાં પાસઓનું માપન આ શાખામાં છે.
આ શાખા વ્યક્તિની વિવિધ શક્તિઓના માપન માટે મનોવિજ્ઞાનિક કસોટીઓની રચના, પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટનનુંં કર્ય કરે છે તથા હાલમાં અસ્તિત્વ ધરાવતી કસોટીઓનું મૂલ્યાંકન કરે છે. આ કસોટીઓ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના પૃથ્થકરણ માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે.
આ શાખા મનોવિજ્ઞાનનાં જુદા જુદા વ્યાવહારિક ક્ષેત્રોમાં કામ કરતા ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને મનોવિષ્લેષકોને માપનનાંં વિવિધ સાધનો પૂરાં પાડે છે.
વર્તમાન સમયમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન વગેરે જેવાં ક્ષેત્રોમાં મનોમાપનની વધુ પ્રમાણમાં જરૂરિયાત છે ત્યારે આ ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. નવી બુદ્ધિકસોટીઓની રચના અને ઉપયોગ કમ્પ્યુટર અને ઈન્ટરનેટના કારણે ખૂબ જ સરળ બન્યો છે. આ ક્ષેત્રમાં લોકોની જાગૃતિ પણ આવી છે.
આમ, મનોમાપનનું મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની વ્યાવહારિક શાખા છે.