CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જીવન જીકકાની સામાન્ય કળાને ‘સંસ્કૃતિ’ કહે છે. સંસ્કૃતિમાં જ્ઞાન, માન્યતાઓ, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે. સંસ્કૃતિનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
1. સંસ્કૃતિ જીવનશૈલી છે :
સંસ્કૃતિ જે-તે સમાજના સભ્યોની જીવાન જીવવાની એક શૈલી છે અને એમાંથી ઊપસી આવતી જીવન જીવવાની એક રીત પણ છે. સંસ્કૃતિનું આ લક્ષણ દરેક સમાજ વચ્ચેની અને દરેક સમૂહ વચ્ચેની ભિન્નતા દર્શાવવામાં મદદરૂપ બને છે. આમ, સંસ્કૃતિ જીવનશૈલી છે.
2 સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે :
વ્યક્તિ પોતાના સમાજની સંસ્કૃતિ વચ્ચે જન્મે છે. તેમાં રહેતાં રહેતાં તે કેટલુંક શીખે છે અને કેટલુંક શીખવવામાં આવે છે. આમ, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે.
3 સંસ્કૃતિ માનવીના સમાજજીવનની આગવી પેદાશ છે :
સંસ્કૃતિ માનવીની સામાજિક આંતરક્રિયા અને અનુભવમાંથી ઉદભવે છે અને વિકાસ પામે છે. માનવીના સમાજજીવનમાં જ આ શક્ય બને છે. પશુ-પક્ષીઓ તેમના સમાજજીવનમાંથી સંસ્કૃતિ ઉપજાવી શકતાં નથી. આમ, સંસ્કૃતિ માનવીના સમાજજીવનની આગવી પેદાશ છે.
4 સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે :
સંસ્કૃતિનો ઘણો મોટો ભાગ પેઢી દર પેઢી ટકી રહે છે. આ દર્શાવે છે કે સંસ્કૃતિ સ્થિરતા અને સાતત્ય ધરાવે છે. માનવીનું સામાજિક જીવન જેમ જેમ સંકુલ બનતું જાય છે તેમ તેમ સંસ્કૃતિનો વિકાસ થાય છે. નવી પેઢી સમયાંતરે સાંસ્કૃતિક વારસામાંથી કેટલુંક છોડી દે છે. કેટલાકમાં વિકાસ સાધે છે અને કેટલીક બાબતોમાં પરિવર્તન લાવી નવું ઉમેરે છે. આમ, સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે.
5. સંસ્કૃતિ હસ્તાંતરિત થઇ શકે છે :
સંસ્કૃતિ હસ્તાંતરિત થાય છે. એક સમાજની સંસ્કૃતિ બીજા સમાજમાં ફેલાય છે. એક વર્ગની સંસ્કૃતિ બીજા વર્ગમાં ફેલાય છે. શહેરની સંસ્કૃતિ ગામડામાં ફેલાય છે. આમ, સંસ્કૃતિ હસ્તાંતરિત થઇ શકે છે.
6 સંસ્કૃતિનો સંચય થાય છે :
સંસ્કૃતિનો સંચય થઈ શકે છે. સંસ્કૃતિ સામાજિક વારસારૂપે પેઢી દર પેઢી ઊતરી આવે છે. આપણી ખેતીની પદ્વતિઓ, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનો વગેરેની શોધો સંસ્કૃતિનો સંચય દર્શાવે છે. આમ, સંસ્કૃતિનો સંચય થાય છે.