સંસારને મિથ્યા કહેનારાનાં વાણી અને વર્તનની ભિન્નતા અખાએ શી રીતે દર્શાવી છે ?
સંસારને મિથ્યા કહેનારનાં વાણી અને વર્તનમાં ભિન્નતા દર્શાવતાં અખો કહે છે કે એવા લોકો સંસાર મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે એવી જ્ઞાનની મોટીમોટી વાતો તો કરે છે, પણ તેના અંતરમાં ધનની પુસ્કળ લાલસા હોય છે. તેનું મન માયામાં જ ભટકતું હોય છે અને તે સંસારના ભોગવિલાસમાં જ રચ્યોપચ્યો રહે છે.