ચક્ષુ ખોયા પણ રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ દ્વારા પ્રજ્ઞાચક્ષુ શી રીતે આનંદ અનુભવે છે ?
ચક્ષુ ખોયા છતાં પ્રજ્ઞા ચક્ષુ કર્ણેન્દ્રીય દ્વારા પંખીઓઅના કલરવનો આનંદ માણી શકે છે. કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે. પંખીઓનો કલરવ થતાં તેનાં બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે. તે ઘ્રાણેંદ્રીય દ્વારા ફુલોની એક સામટી સુવાસને માણી શકે છે. પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે. આમ, પ્રજ્ઞાચક્ષુની એક ઈન્દિય જતાં તેની અન્ય ઈન્દિય તેને દોનીયાના વૈભવનું રસપાન કરાવે છે અને તે એનો આનેંદ મેળવે છે.