કવિએ ‘રેવાતટે મધ્યાહન- સંધ્યા’ સૉનેટ્માં ગ્રીષ્મના બપોરનું જીવંત ચિત્ર આલેખ્યું છે. ગ્રીષ્મની કાળઝાર ગરમીથી આકાશ પૃથ્વી પરનાં ચેતન-અચેતન તત્વો અકળાઈ ગયાં છે. સમગ્ર સૃષ્ટિ જાણે મુર્છીત થઈ ગઈ છે. નદીનાં જળ પર સવાર થઈને તેનાં તરંગો પર રમવાની હવાનીય હિંમત ચાલતી નથી. પક્ષીપણ નથી ઊડતાં કે નથી ટહુકા કરતાં દેખાતાં. આખો પટ માણસ વિનાનો નિર્જન લાગે છે. આથી તટ પર નાંગરેલી નાવ પણ સ્થિર પડી છે. નદિના પાણીમાં ભેંસોનું ટોળું સુસ્ત બનીને શીલાની જેમ પડ્યું છે. ગોવાળીયાઓ પાણીમાં ડુબકીદાવ રમે છે અને અકળાઈ ગયેલા કુતરા ભીની રેતીમાં હાંફી રહ્યા છે.
Advertisement
પશ્ચીમે ઢળતા સૂર્યની સાથે નદિ તટનું ચિત્ર કઈ રીતે બદલાય છે? રમ્ય વાતાવરણની ચોતરફ થતી અસર વર્ણવો.
આ સૉનેટનો અંત કઈ રીતે આકર્ષક લાગે છે તે સ્પષ્ટ કરો.