‘ઉદ્દીપકનું વિલોપન’ એટલે શું ?  from મનોવિજ્ઞાન શીખવાની ક્રિયા Class 12 GSEB - Gujarati Medium

Chapter Chosen

શીખવાની ક્રિયા

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

થૉર્નડાઈકે ભુલભુલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા ? 

  • બિલાડી

  • ઉંદર 

  • કૂતરો 

  • ચિમ્પાન્ઝી


આંતરસૂઝના શિક્ષણની તરાહ વિગતે સમજાવો.


કારક અભિસંધાનમાં પ્રાણીની ભેદબોધનની ક્રિયા શીખવાની સમગ્ર પ્રક્રિયા સમજાવો. 


અભિસંધાન દ્ઘારા શિક્ષણ એ કયા વાદ પર આધારિત છે ?

  • સમષ્ટિવાદ

  • સાહચર્યવાદ 

  • અનુભવવાદ 

  • આપેલ પૈકી એક પણ નહિ


Advertisement

‘ઉદ્દીપકનું વિલોપન’ એટલે શું ? 


એક વાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે આમ છતાં તેને પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે તો પ્રાણી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે, આને ‘ઉદ્દીપકનું વિલોપન’ કહેવાય.
પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપતાં અગાઉ પ્રાણીને સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ આપવામાં આવે છે.
અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે.
પ્રાણી ચોક્કસ ઉદ્દીપક માટે શીખેલો પ્રતિક્રિયા કરે તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં આવતું નથી.
પરિણામે પ્રાણીમાં તે પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જાય છે અને છેવટે પ્રાણી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે.
પ્રાણીમાં સ્થપાયેલા અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા અદ્રશ્ય થઈ જાય છે, આને પ્રાપ્ત કરેલા શિક્ષણનું ‘વિલોપન’ કહેવામાં આવે છે.
સ્કિનર બૉક્સમાં ઉંદર એક વાર હાથો દબાવી અન્નગુટિકા પ્રાપ્ત કરવાનું શિક્ષણ મેળવી લે છે. ત્યારબાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને અન્નગુટિકા આપવામાં આવતી નથી.
આ પ્રમાણે વારંવાર કરવામાં આવે, તો ધીરે ધીરે ઉંદર હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી કરે છે અને છેવટે પ્રતિક્રિયા ઓછી કરે છે અને છેવટે પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે. જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું ‘વિલોપન’ થયું તેમ કહેવાય છે.


Advertisement
Advertisement