CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અમરતકાકીની દીકરી
ગામના લોકો
અમરતકાકીની વહુઓ
દવાખાનાની પરિચારિકા
અમરતકાકીએ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચનાક ગાંડી થઇ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. એ જાણ્યા પછી અમરતકાકીએ પણ મંગુને દવાખાનામાં મુકવાનો નિર્ણય કર્યો. જોકે, આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઇ ગયું. એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન હતાં. ઘરમાં મંગુની પથારી સુની સુની લાગતીએ હતી. આટલાં વર્ષોથી મા સાથે સુવા ટેવાયેલી મંગુને ઉંઘ આવી હશે કે નહી એ વિચારથી તેઓ બહાવરાં બની ગયાં. એમને ખાટલાની ઇસ પર કપાળ કુટ્યું. મા થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યાં ! આ વિચારે તેમનાથી ડુસકું ભરાઇ ગયું. અમરતકાકીથી દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી. ત્યાં અચાનક વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાના મધુર અવાજમાં ગામ આખાને વીંધી નાખે તેવી અમરતકાકીની ચીસ સંભળાઇ : ‘ધાજો, રે ... ધાજો, મારી મંગુને મારી નાખી રે...’ આ ચીસની સાથે જ અમરતકાકી પણ ગાંડાં થઈ ગયાં. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત વધારે હ્રદયદ્વાવક છે.