CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કારણ આપો.
ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.
ટુંકનોંધ લખો.
પ્રથમ વિશ્વયુદ્ધમાં દુરોગામી પરિણામો
ટુંકનોંધ લખો.
વર્સેલ્સની સંધિ
ઈ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પૅરિસ શાંતિ સન્મેલન’ તરીકે પ્રસિદ્ધ બની.
તેમાં 58 જેટલા કમિશનો રચાયાં હતા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલમાં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખવામાં આવે છે.
અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ત્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી : 1. પ્રાદેશિક વ્યવસ્થા, 2. લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, 3. યુદ્ધમાં વળતરના હપતાની હોઠવણી અને યુદ્ધદંડ તથા 4. અન્ય જોગવાઈઓ.
વર્સેલ્સની સંધિમાં અમિરિકાના પ્રમુખવુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લૉર્ડ જ્યોર્જે અને ફ્રાંસના વડા લ્કેમેન્સાએ મહત્વની કામગીરી કરી.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉંદનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.
ફ્રાંસે જર્મનીનો રુહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મુકવામાં આવી.
ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોની સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યાં.
જર્મનીના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યાં.
આલ્સેસ અને લૉરેંસ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા.
યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું.
આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરી પૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.